Showing posts with label GOVERNMENT. Show all posts
Showing posts with label GOVERNMENT. Show all posts

5 February 2017

*ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ  સબસીડી*

*ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ  સબસીડી*

ગુજરાત સરકાર(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) દ્વારા ગુજરાત રાજયના દરેક જિલ્લાઓમાં ઘરે ઘરેે સૌરઉર્જા પહોંચાડવા સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં અાવી છે.
આ યોજના અનુસાર ગ્રાહકને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નીચે મુજબના ફાયદા *31-03-2017*  સુધી આપવામાં આવશે.

-આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા  પ્રતિ 1KWp સૌર ઉર્જા પાવર પ્લાન્ટ માત્ર  રૂ. ૬૯,૦૦૦/- ના નજીવી કિંમતમાં આપણા ઘરની અગાશી પર પ્રતિ 1KWp ૬ ફૂટ લંબાઇ અને 13 ફૂટ પહોળાઈ ની જગ્યામાં ૫ વર્ષની ગેરેન્ટી સાથે લગાવી દેવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા પ્રતિ 1KWp માટે રૂ.૧૦,૦૦૦/- અને 2KWp માટે રૂ. ૨૦,૦૦૦/- ની સબસીડી અને ભારત સરકાર દ્રારા ૩૦% સબસીડી આપવામાં આવશે. અેટલે તમારા ઘરમાં સબસીડી મળીયા પછી માત્ર *રૂ. ૩૮,૩૦૦/-* માં પડશે.

*સોલાર સિસ્ટમનો ઉપયોગ*
આપણા ઘરમાં રહેલી તમામ ઈલેકટી્ક આઇટમ જેવી કે એ. સી., ફી્ઝ, ટી.વી.,પાણીની મોટર,  વોશિંગમશીન , ઈસ્ત્રી, લાઇટ-પંખા  વેગેરેના વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.

*આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ સંપાર્ક કરો *

*રૂફટોપ સિસ્ટમ ની અરજી ના જરૂરી ડોક્યુમેન્ટ્સ*.
1.GEDA  અરજી ફોર્મ ગ્રાહક ની સહી સાથે.
2.રૂ 1150 નો " Gujarat Energy Development Agency " ના નામ નો ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ.
3.છેલ્લા ઇલેક્ટ્રિક બિલ ની નકલ.- ગ્રાહક ના  સ્વપ્રમાણિત
4.પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ - 3 નં. ફોટો ની પાછળ ગ્રાહક નું પૂરું નામ લખવું.
5.ફોટો આડી પુરાવા  માટે - પાન કાર્ડ / આધાર કાર્ડ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેંસ ( કોઈપણ એક ગ્રાહક ના  સ્વ પ્રમાણિત )- એક નકલ.
6.એડ્રેસ પુરાવા માટે- આધાર કાર્ડ /ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેંસ ( કોઈપણ એક ગ્રાહક ના  સ્વપ્રમાણિત )- એક નકલ.
7.રહેઠાણ ના પુરાવા માટે-ઘરવેરા ની છેલ્લી પહોંચ અથવા વેચાણ દસ્તાવેજ અથવા મિલકત કાર્ડ અથવા ઈન્ડેક્સ નં-2.( કોઈપણ એક ગ્રાહક ના  સ્વ પ્રમાણિત )- એક નકલ.
8.જો પ્રોપર્ટી /રહેણાંક ભાડા પેઠે હોય તો , ભાડા અંગે ના કરાર ની નકલ.(ગ્રાહક ના  સ્વપ્રમાણિત).
9.જો રહેણાંક ફ્લેટ હોય તો,સોસાયટી નું ના વાંધા (NOC ) આપવું.

આ  યોજનાની  માહિતી  તમારા  મિત્રો અને  ફેમિલીને  મોકલવાનું  ભૂલશો  નહીં  જેથી  તમારા   મિત્રો અને ફેમિલી  પણ ગુજરાત સરકારની આ  યોજનાનો  લાભ  લઈ શકે

10 January 2017

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની સૌથી મહત્ત્વપૂર્ણ અને નવીનતમ્ કહી શકાય તેવી પ્રસ્તુતી નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા નવ વૈજ્ઞાનિકો છે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની સૌથી મહત્ત્વપૂર્ણ અને નવીનતમ્ કહી શકાય તેવી પ્રસ્તુતી નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા નવ વૈજ્ઞાનિકો છે, જે આજથી સાયન્સ સિટી ખાતે શરૂ થતી નોબેલ પ્રાઇઝ સિરિઝ હેઠળ જીવનને વિજ્ઞાન કેવી રીતે અસર કરે છે તે વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદ્યાથીઓ સાથે સંવાદ કરશે.

આજથી અમદાવાદમાં...

એડા યોનાથ:2009
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃરિબોઝોમનું માળખું અને તેના કાર્યના અભ્યાસ માટે નોબેલ મળ્યો. ડૉ.યોનાથનું સંશોધન પ્રોટીનના બાયોસિન્થેસિસ(જૈવિક ઘટકોના સમન્વય)અને તેને લકવાગ્રસ્ત કરીદેતા એન્ટિબાયોટિક્સ પર કેન્દ્રિત છે.

ડૉ.વેંકટરામન રામક્રિષ્ણન:2009
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃરિબોઝોમનું માળખું અને તેના કાર્યના અભ્યાસ માટે નોબેલ મળ્યો.તામિલનાડુના ચિદમ્બરમમાં 1952માં જન્મેલા ડૉ.વેંકટરામને 2009માં નોબેલ પુરસ્કાર મેળવીને ભારત ઉપરાંત ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે.

ડૉ.ડેવિડ જે.ગ્રોસ:2004
ક્ષેત્રઃભૌતિક વિજ્ઞાન(ફિઝિક્સ)
વિશેષતાઃન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજા સાથે જોડી રાખતાં બળ વિશેની સ્ટ્રોંગ ઇન્ટરએક્શન થીયરીમાં એસિમ્પ્ટોટીક ફ્રિડમની નવી શોધ કરવા માટે નોબેલ અપાયો.

ડૉ.સર્જ હેરોશ:2012
ક્ષેત્રઃભૌતિક વિજ્ઞાન(ફિઝિક્સ)
વિશેષતાઃપ્રકાશ કણો(ફોટોન્સ)અને અણુઓ અલગ હોવા છતાં હમેંશા આસપાસના વાતાવરણ સાથે પ્રક્રિયા કરતાં રહે છે.આ સ્થિતિમાં આ ફોટોન્સ અને એટમ્સ(અણુઓ)ની એકબીજા સાથેની વર્તણૂંક તેમની મૂળ સ્વાભાવિક વર્તણૂંકથી અલગ હોય છે.ડૉ.હેરોશે આ કણોની એકલ વર્તણૂંકને માપવાની પ્રાયોગિક પદ્ધતિનું સંશોધન કર્યું. ડૉ.હેરોશનો જન્મ 1944માં કાસાબ્લેન્કામાં થયો હતો.પેરિસ VI યુનિવર્સિટીમાંથી 1971માં પીએચ.ડી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ બાદ તેમણે પેરિસ VI યુનિવર્સિટીમાં ક્વૉન્ટમ ફિઝિક્સના પ્રોફેસર તરીકે શિક્ષણ અને સંશોધન કાર્ય કર્યું.હાલમાં તેઓ કોલેજ દ ફાન્સના પ્રોફેસર ઇમેરિટસ તરીકે કાર્યરત્ છે.

ડૉ.વિલિયમ ઈ.મોર્નર:2014
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃફ્લ્યુઓરેસીન માઇક્રોસ્કોપીના વિકાસ માટે નોબેલ પ્રાઇઝ અાપવામાં અાવ્યો.સુપર રિઝોલ્યુશન ઇમેજિંગની મદદથી કોષોમાં પરમાણુઓને શોધી તેને ત્રિપરિમાણિય(થ્રીડી)ઇમિજંગમાં કેવી રીતે રજૂ કરી શકાય તેનું સંશોધન કરે છે.

ડૉ.હેરોલ્ડ ઈ.વેર્મસ:1989
ક્ષેત્રઃમેડિસિન
વિશેષતાઃકોષોમાં કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે તેની શોધ કરી નોબેલ મેળવ્યો.તે હાલ મેયેર કેન્સર સેન્ટર ઑફ વીલ કોર્નેલ મેડિસિનમાં યુનિવર્સિટી પ્રોફેસર ઑફ મેડિસિન તરીકે કાર્યરત્ છે.

ડૉ.હાર્ટમુટ મિશેલ:1988
ક્ષેત્રઃરસાયણ વિજ્ઞાન(કેમિસ્ટ્રી)
વિશેષતાઃફોટોસિન્થેટીક રિએક્શન સેન્ટરના ત્રિપરિમાણિય માળખાનું નિર્ધારણ કરવા નોબેલ.

ડૉ.રેન્ડી શૅકમેન:2013
ક્ષેત્રઃ મેડિસિન
વિશેષતાઃકોષો દ્વારા ઉત્પાદિત થતાં ઇન્સ્યુલિન અને અન્ય અંતઃસ્ત્રાવોને કોષની બહાર કેવી રીતે સ્થાનાંતરીત કરવામાં આવે છે તે પરિવહન પ્રક્રિયાનું નિયંત્રણ કરવાની શોધ માટે નોબેલ.

ડૉ.રિચર્ડ રોબર્ટ્સ:1993
ક્ષેત્રઃમેડિસિન
વિશેષતાઃવિભાજિત જનીનોની શોધ માટે નોબેલ મળ્યો.આ જીનોમના સિક્વન્સિંગ માટે પ્રયોગશાળાએ કોમ્પ્યુટરના ઉપયોગની શરૂઆત કરી હતી.

6 May 2015

પ્રધાનમંત્રી વીમા યોજના

“ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)” 


પ્રેઝન્ટેશન download click here.
 
રજિસ્ટ્રેશન ફોર્મ અને ગાઇડલાઇન download click here.

19 February 2015

SUKANYA SAMRUDHDHI YOJANA.

 સુકન્યા સમ્રુધ્ધિ યોજનાની માહિતી.
આભાર- હિરેનભાઇ પટેલ શિક્ષક ગ્રુપ

 














8 February 2015


  ભારતની નવી શિક્ષણનીતિ ઘડવામા આપનુ કોઇ સારુ સૂચન (સલાહ) હોય તો  ફેસબુક જેવી my Gov એપ માં જોડાવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબમાં Sign upમાં પ્રથમ તમારી વિગત ભરવી પડશે.
ભારત સરકારની નવી જાહેરાતો જાણવા માટે ખૂબ ઉપયોગી છે.