Showing posts with label STUDENT. Show all posts
Showing posts with label STUDENT. Show all posts

1 May 2019

અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.

બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ.

વ્યક્તિનું જે કાર્યક્ષેત્ર હોય એના માર્ક્સ પરિણામ સ્વરૂપે જાહેર કરવા એ યોગ્ય નથી.

દા.ત. એક પુરુષ તરીકે આપણને આપના વડીલ માર્ક્સ આપે.
કેટલા નું ટર્ન ઓવર કર્યું 75%
કેટલો નફો કર્યો 45 %
ઉઘરાણી ના માર્ક્સ 50 %
નવા ગ્રાહકો બનાવ્યા કે નહીં 80%
ધધા સાથે પરિવારને સમય આપ્યો 42%

અને સ્ત્રી તરીકે આપણા સાસુ માર્ક્સ આપે.
મહેમાનને હસતા આવકાર આપો છો 55%
ફરવામાં રસ છે 90%
કચરા પોતા ની ક્વૉલિટી 70%
સાસુને વડીલોને સન્માન 32%
બાળકોનું ધ્યાન 85%
નવું શીખવા માં રસ 30%

વિચારો કે આપણા કાર્યક્ષેત્ર નું આવું રીઝલ્ટ ફેસબુક ઉપર કોઈ મૂકે તો???
ભણતર એ બાળકનું અંગત કાર્યક્ષેત્ર છે.
એ જાહેરાત નો વિષય ન જ હોય શકે.
રિઝલ્ટ આપણા બાળકનું હોય કે બીજાનું, બાળકોના સાઈકોલોજિસ્ટ ના મતે રીઝલ્ટ હંમેશા બાળકના મનમાં કાતો અપમાન અથવાતો હોશિયાર રહેવાનું પ્રેશર જ પેદા કરે છે.

એક વાત ક્યારેય ન ભૂલવી કે ભારતમાં દર વર્ષે અંદાજે અધધ.. 65000 જેટલા વિદ્યાર્થીઓ ભણતર અને રિઝલ્ટના પ્રેશરથી આત્મહત્યા કરે છે. અને સમજવા જેવી બાબત એ છે કે ક્યારેય 35% વાળા આત્મહત્યા કરતાજ નથી.

આપણા દ્વારા હોશિયાર બાળક ના રિઝલ્ટનું ફેસબુક અને અન્ય જગ્યાએ થયેલ પ્રદર્શન અને એના લીધે સમાજમાં એ બાળક કેટલું હોશિયાર છે એવી ઉભી થયેલી એની છાપ ના લીધે જ બાળકને 5-10 માર્ક્સ  ઓછા આવતા ઘર અને સમાજને ફેસ કરવા કરતા એને તાપીમાં પડી જવું કે પંખા પર લટકી જવું વધુ સરળ લાગે છે.

આ કોઈને હર્ટ કરવા નહીં પરંતુ બાળકને હર્ટ થતું અટકાવવા માટે છે.
બાળકોના ઉછેરની એક સંસ્થાના હેડ કોમ્યુનિકેટર તરીકે મારુ આવું મંતવ્ય છે કે બાળકના ખરાબ રીઝલ્ટમાં અફસોસ વ્યક્ત કરવો નહીં તેમજ ખાસ ...સારા રિઝલ્ટને જાહેરમાં પ્રદર્શિત કરવું નહિ કે ખૂબ ઉત્સાહ બતાવી ગામને પાર્ટીઓ આપવી નહી.
અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં.

18 November 2018

બાળક અને આપણે

*બાળક અને આપણે*
ખૂબ સમજભર્યોલેખ...

કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.

આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. *અપેક્ષાઓ અને અભિપ્રાયો.* બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને *ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો.* (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
*શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે* ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ *તમારી અપૂર્ણતાને ચાહે છે.’ *આ વાત કેટલી સાચી છે !*

આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે *‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી.* *આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’* પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું *સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?*

બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે ! 

બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ *આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા* તો શીખવી જ પડશે.એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.

આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.

*દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો* વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.

*પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા* બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે *‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’*

અત્યાર સુધી ફક્ત આપણે જ *બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ.* એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે *તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.*

*જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.*
સાભાર દિવ્ય ભાસ્કર...

11 March 2018

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

*પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :*

૧. તમારા જૈવિક ઘડિયાળ સેટ કરો.

૨. પરીક્ષાની રીસીપ્ટ સાથે રાખો.

૩. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.

૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

૬. રીસીપ્ટની ઝેરોઝ કઢાવી રાખો.

૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

૮. Exam પેડ સાથે રાખો.

૯.કંપાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.

૧૦. ઘેરથી પરીક્ષા સ્થળ પર જવા થોડા વહેલા નીકળી જાઓ જેથી ટ્રાફિક, બસ મોડી પડે, પંચર પડે તેવી સમસ્યાઓ સામનો કરી શકાય.

૧૧. OMR શીટ ભરવામાં ઉતાવળ કરશો નહિ.

૧૨. Superviser સાહેબ તમને OMR શીટ ભરવામાં મદદ કરશે.

૧૩. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો(પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો.They will definitely help you.

૧૪. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે ઔમ ૭૮૬, શ્રી વગેરે.

૧૫. સ્પ્રે કે અત્તર ન લગાવવું.

૧૬. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.

૧૭. કપડાં નવા હોય તેના કરતાં સહુલતવવાળા હોય તો સારું.

૧૮. પાર્ટ A અને પાર્ટ B માં બધા પ્રશ્નો લખવા. પ્રશ્નો છોડવા નહિ.

૧૯. OMR શીટ ભરતી વખતે ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.

૨૦. OMR શીટમાં તમને જેટલા પરફેક્ટ આવડે તેના રાઉન્ડ કરી અને જે ન આવડતા હોય તેવા બાકીના તમામ પર એક વિકલ્પ પસંદ કરી રાઉન્ડ કરી કરી લ્યો જેથી ન આવડતા હોય તેમાંથી થોડાક સાચા પડી શકે.

૨૧. તમે જે સારું આવડે તે પ્રથમ લખો અને કન્ફ્યુઝન વાળું છેલ્લે જેથી બીજા સવાલ પર તેની અસર ન થાય.

૨૨. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

૨૩. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.

૨૪. યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
૨૫. ભગવાન તમારી સાથેજ છે
છેલ્લે
*તમારી પરીક્ષા સારીજ જવાની છે તેવો આત્મવિશ્વાસ રાખો.*

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે શુભેચ્છા!

મારા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક

પ્રિય મિત્રો,

માર્ચ મહિનો આપણા લાખો યુવા મિત્રો માટે અત્યંત અગત્યનો છે કારણકે તેમણે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આપવાનો આ સમય છે. ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે અને બીજા ઘણાંની પરીક્ષા આવનાર દિવસોમાં શરૂ થશે. મારા યુવા મિત્રોને હું પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવું છું. મહિનાઓની તૈયારી અને સખત મહેનતનો નિચોડ પરીક્ષા ખંડમાં થોડા કલાકોમાં આવી જશે.

પરીક્ષા અંગેની તમામ ચિંતાઓ દૂર કરવાનો એક સારો રસ્તો એ છે કે બોર્ડની પરીક્ષાઓને એક ખેલની જેમ લેવામાં આવે. પરીક્ષામાં સ્ટ્રેસ લઇને બેસવાને બદલે જાણે કે એક રમત રમવાની હોય તેવો અભિગમ રાખવાથી ફાયદો થશે. પરીક્ષાને આત્મ વિકાસનો એક અવસર માનો અને તમારો સ્ટ્રેસ તરત દૂર થઇ જશે. યાદ રાખો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું - ''પહેલાં તો પોતાની જાતમાં વિશ્વાસ રાખો, આ જ (સફળતાનો) રસ્તો છે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમામ શક્તિ તમારી અંદર જ પડેલી છે. આ શક્તિને ઓળખો અને તેને બહાર લાવો. પોતાની જાતને કહો કે 'હું બધું જ કરી શકું છું'. સાપનું ઝેર પણ તમારી સામે બિનઅસરકારક થઇ જશે જો તમે દ્રઢતાથી તેને નકારી દેશો''.

પરિક્ષા આપવા અંગે આપણા અંગત અનુભવો છે. જે કેટલાક પ્રસંગો મનમાં તાજા કરાવે છે જેમાંથી કેટલાક અનુભવો આનંદદાયક હોય છે અને કેટલાક નથી હોતા. આપણો સમય યાદ કરીએ તો પરીક્ષા આજે છે તેટલી સ્પર્ધાત્મક ન હતી. પરીક્ષાનું દબાણ પણ ઘણું ઓછું હતું. તે દિવસોમાં કોઈ વ્યક્તિ જો 70 ટકા પણ લાવ્યું હોય તો તે એક આનંદની વાત હતી અને આજે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 90 ટકા ઉપર ગુણ લાવે તો તેને લાગ્યા કરે છે કે "આનાથી સારા ગુણ આવ્યા હોત તો!" . ખરેખર, સમય બદલાઈ ગયો છે....

યુવામિત્રો, અભ્યાસક્રમ પૂર્ણ કરવાના આકરા નિત્યક્રમ વચ્ચે થોડી હળવાશની ક્ષણો માણવી અત્યંત મહત્વની છે. તમારૂ મનપસંદ સંગીત સાંભળો, પરિવારજનો-મિત્રો સાથે સમય ગાળો અથવા તો તમારો પ્રિય ટેલિવિઝન કાર્યક્રમ માણો. આ સમયગાળા દરમિયાન સૂર્યનમસ્કાર અથવા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે અને પરીક્ષા સમયે આવશ્યક કાર્યક્ષમતામાં પણ ઉમેરો થાય છે.

બોર્ડની પરીક્ષાની યાત્રા માત્ર વિદ્યાર્થીઓ પુરતી સિમિત નથી હોતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પાછળ તેમના પરિચિત અને અપરિચિત એવા સંખ્યાબંધ લોકોના ત્યાગ અને પરિશ્રમ હોય છે.

યુવામિત્રો, આપ સૌ શૈક્ષણિક યાત્રાના એક મહત્વના પડાવ પર પહોંચવા જઈ રહ્યાં છો ત્યારે એ યાદ રાખો કે તમારા શિક્ષણ સમયે આપના માતા-પિતાએ તેમના સમય, ઉર્જાના ભોગે તમને સગવડ આપી છે અને તમને મુશ્કેલ સમયે વાત્સલ્યથી હૂંફ આપી છે. તમારાથી નાના ભાઈ કે બહેન માત્ર એટલા માટે જ તેમના મનપસંગ ટીવી કાર્યક્રમોને નિહાળી શકતા ન હતા કારણ કે તમે એકાગ્રતા સાથે વાંચી શકો. યાદ રાખો કે સમગ્ર વર્ષ દરમિયાન જેની તમને વિશેષ જરૂરીયાત રહી છે તેવા આપ સૌના શિક્ષકોએ શાંતચિત્તે અને પોતે પરિશ્રમ કરીને તમને માર્ગદર્શન આપ્યું છે. મને ખાતરી છે કે તેમના આશીર્વાદ તમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે અને પરીક્ષામાં ચમકશો. પરીક્ષામાં સારો દેખાવ કરીને તમારા માટે પરિશ્રમ કરનારા આપ સૌના હિતેચ્છુઓને સન્માન અપાવી શકશો.

બોર્ડની પરીક્ષાના ગુણ એ કોઈ અંત નથી પરંતુ વિદ્યાર્થી માટે એક નવી શરૂઆત છે! પરિણામો બાદ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈને અત્યંત મહત્વની પસંદગી કરશે તેનો પ્રભાવ તેમના ભવિષ્ય પર રહેશે. મને ખાતરી છે કે આપ સૌ પોતાના રસના વિષય અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને સમજદારી સાથે પસંદગી કરશો.

ભલે એમ લાગતું હોય કે પરીક્ષા પતવાને તો હજુ વર્ષોની વાર છે પરંતુ હું મારા યુવા મિત્રોને પરિક્ષા પછીને આ સમયગાળાનો સદુપયોગ કરવા કહીશ. હરો ફરો અને તમને જેમાં આનંદ આવતો હોય તેવી બાબતોનો આનંદ માળો- પ્રવાસ કરો, વાચંન કરો; પાછલા એક વર્ષ દરમિયાન તમે ન કરી શક્યા હોય તે કરો. હું આગ્રહપૂર્વકની વિનંતી કરીશ કે આપ સૌ યુવાનો આ સમયે સમાજ સેવા માટે પણ સમય ફાળવો. તેનાથી આપના શિક્ષણનો વ્યાપ ખરા અર્થમાં વિસ્તરશે. આખરે તો તમારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માર્કશિટ્સમાં 'A+, A , A ' જેવા ગુણ હાંસલ કરવાનો નથી પરંતુ એવો વિશ્વાસ સંપાદિત કરવાનો છે કે તમે જે શિક્ષણ મેળવ્યું તેનાથી તમે સમાજને કંઈક પ્રદાન કરી શકશો. સ્વામિ વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ સમાજના સહકારથી શિક્ષણ મેળવે છે પરંતુ સમાજ માટે કંઈ નથી કરતો તેને હું વિશ્વાસઘાતી કહીશ."

ફરી એક વાર, મારા વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા માટે શુભેચ્છા!

11 January 2018

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ લખેલી આ પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે.....

એક અજીબ ઘટના સામે આવી......
એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુ ત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી.ફિલ્મો નું આધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?
મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિ થી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.

પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૃ કરીએ.

(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે...
(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૃ થયો છે. કેક મોંમાં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.
(3) આપણે ઉજવણી કરવાની અને આનંદ મેળવવાની પદ્ધતિ જ ભૂલતા જઈએ છીએ. આપણે ક્રૂર આનંદ અને ઉપરછલ્લું મનોરંજન મેળવીએ છીએ.

(4) સી.એન.ના આચાર્ય ત્રિવેદી સાહેબે જે ચિંતા અને નિસબત વ્યક્ત કરી છે તે યોગ્ય છે. ઉજવણીની પ્રીત હોય એમ રીત પણ હોય જ ને.. કોઈ પણ ઉજવણી ક્યારેય પજવણી ના બનવી જોઈએ.

જે મિત્રોને આ પોસ્ટ વિચારવા જેવી લાગે તે મિત્રો તેને શેર તો કરે જ, પણ સાથે સાથે
આપની આજુબાજુ કોઈ આ રીતે ઉજવણી કરતું હોય, તમારા પરિવાર અને સગાં-વહાલાંમાં કે આડોશ-પાડોશમાં આ રીતે જોખમી ઉજવણી થતી હોય તો તેનું ધ્યાન દોરવું જ જોઈએ.

આલેખન.. રમેશ તન્ના

10 May 2017

બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ?

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો વ્હોટ્સઅપ ના માધ્યમથી વહેતા મુકું છું.

બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.

અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે. બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા ?

ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.

આપણા દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરીએ છીએ.

વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?

ઘણું લખવું છે પણ તમે વાંચીને થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો.

જય હો ✍

9 May 2017

"બાળકોને ક્યા માધ્યમમાં ભણાવવા જોઈએ ? "

"બાળકોને ક્યા માધ્યમમાં ભણાવવા જોઈએ ? "

બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.

અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે. બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા ?

ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.

આપણા દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરીએ છીએ.

વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?

ઘણું લખવું છે પણ તમે વાંચીને થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો. કમસેકમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાય એ જરૂરી છે.