30 November 2018

ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!

*જિંદગી :*

*ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!*

ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું'  છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે"
એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!

*-ડૉ. નિમિત ઓઝા*

"આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...

ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!"

25 November 2018

દુનિયા મા જતુ કરવા ની તાક્ત માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..

બેટા...
તું અને વહુ..
થોડો વખત એકલા રહો....
હું..
અને તારી માઁ..
એક મહિનો...
જાત્રા એ જઈયે છીયે...

જીંદગી..
મા કમાવા ની હાય મા ન તો ભગવાન સરખો ભજાયો...
કે ન તો..
તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...
ઘડપણ...
આંગણે આવી ગયું..
ખબર  પણ ના પડી...
અને મોત.....
આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે..
જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...
હવે  શાંતિ થી  જીવવવા ની ઈચ્છા છે...

આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....

પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...
રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો.
બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું...

પપ્પા.તમે છો ક્યા..?
બે મહિના થઈ ગયા...
મને  હવે શંકા લાગે છે....
તમને મારા સોગંન ..
આપ સાચું બોલો..
ક્યાં છો ?
દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...

બેટા..
સાંભળ...
અમે કાશી મા ,જ..
છીયે...
અહીં ફરતા.ફરતા..
વૃદ્ધા આશ્રમ દેખાયો...
તેનું વાતવરણ..
રહેવાનું..
ખાવું પીવું...
સવાર સાંજ  ભગવાન ના દર્શન....
સતસંગ બધુ જ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..
તારી માઁ નો  સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...

બેટા...
મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..
હવે ની ઉંમર અમારી  શાંતિ મેળવવા ની છે...
અશાંતી ઉભી કરવાની નથી......

તમે બન્ને શાંતિ થી જીવો..
અમારી ચિતા ના કરતા..
પ્રભુ એ  પેંશન આપ્યું છે..
તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...
તમારી તબિયત નું ધ્યાન રાખજો...

પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..

ના..
બેટા.. હવે..
આપણી મંજીલ
અલગ..
અલગ છે..
તું  તારી રીતે આનંદ થી જીવ..
અમે અમારી રીતે...
બેટા તને ખબર છે..
તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...
બેટા..

અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..
અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...

સવારે  ઉઠી ને એક બીજા ના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ..
કે ઘર  નું પતન નક્કી છે...

અને હું તેવું ઈચ્છતો નહતો...
કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારી નું શિકાર બને
અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...
એટલે મેં ..
પ્રેમ થી આ રસ્તો અપનાવ્યો છે....
બેટા
તું જરા પણ મન મા ના લેતો....
જતુ કરે તેને તો માઁ બાપ કેહવાઈ..

બાકી..
6yકોઇ તકલીફ પડે તો...
હું બેઠો છું..
7દૂર જવા થી...
હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..
આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે

બેટા ..
મત ભેદ હોય...
ત્યારે જ જુદા થઈ જવું સારૂ...
જો મન ભેદ થઈ  જુદા પડ્યા..
તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..

બેટા...
બીજી અગત્ય ની વાત...
તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..
મારા મિત્ર નો પુત્ર છે...
તેને મળજે..
તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...
મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...
પેપર તેની પાસે થી લઇ લેજે....

બેટા...
તું ટૂંકા પગાર મા લોન ના હપ્તા ભર  કે ઘર ચલાવ..?
અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે..
તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ..
સદા  આનંદ મા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...

ચલ બેટા..
આરતી નો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈ ને નીચે ઉભી છે....
જય શ્રી કૃષ્ણ

દિપેન...
ચોધાર આશું એ રડતો રહ્યો.....
અને પપ્પા એ ફોન કટ કર્યો..
પપ્પા મેં તમને સમજવા મા  ભૂલ  કરી...છે..
ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેન ની પત્ની એ હકીકત બધી જાણી દુઃખી અવાજે કિધુ... આપણે
આજે..
ટેક્ષી કરી
મમ્મી ..પપ્પા ને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો...
બહુ મોડું થઈ ગયું...
સ્વાતી..
મારા બાપ ને હું જાણું છું...
તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી
અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...

આજે મને સમજાઈ ગયું...
દુનિયા મા જતુ કરવા ની તાક્ત
માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..

21 November 2018

ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદુરે વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા .

ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .'

વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .'

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણી દરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '

સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'

ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'

રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . '

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? '

મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે .  '

વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? '

સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે
કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે
*ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદુરે વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી
પહોચ્યા .

*બોધ કથા courtesy*

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?

👉 વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ     

 
મુકેશભાઈ તન્ના | ૯૮૨૫૪ ૩૪૬૩૦ | રાજકોટ, ગુજરાત.

     *જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય*

*એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?*

             *તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો...*

                 *બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે....* 
                *પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું*
(1) પત્નિ

(2) દિકરી

(3) મા

(4) ભાભી

(5) જેઠાણી કે પછી દેરાણી...

               *આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.*

        *પણ... ખાલી તારા વહેવાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતા ના રૂપિયા ક્યાક હું વધારે નથી ખચઁ કરતી ને તેમજ ત્યાં તારી સાસરી માં જઇ તારે તારૂ અને આખા ઘર નું વિચારવાનું કે રૂપિયા 5 નું પણ લેતા એમ વિચારજે કે હું મારા ઘર ના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે? બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા*

                      *એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે...*

                   *પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.*

                    *તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે,*

                  *તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે*

(1) પિયર ઘેલી ના થતી.
(2) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી.
(3) કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.!

                *તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.*‼

*હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે .....હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં..*

🌹👍👍

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી..🌹🌹🌹🌹

   
                          *દરેક માતા-પિતા અને ખાસ કરીને દીકરીઓ એ વાચવા જેવુ અને જીવન માં ઉતારવા જેવું જે અત્યારે દરેક દીકરી ને જરૂરી છે.*

18 November 2018

બાળક અને આપણે

*બાળક અને આપણે*
ખૂબ સમજભર્યોલેખ...

કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.

આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. *અપેક્ષાઓ અને અભિપ્રાયો.* બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને *ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો.* (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
*શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે* ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ *તમારી અપૂર્ણતાને ચાહે છે.’ *આ વાત કેટલી સાચી છે !*

આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે *‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી.* *આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’* પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું *સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?*

બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે ! 

બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ *આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા* તો શીખવી જ પડશે.એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.

આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.

*દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો* વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.

*પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા* બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે *‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’*

અત્યાર સુધી ફક્ત આપણે જ *બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ.* એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે *તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.*

*જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.*
સાભાર દિવ્ય ભાસ્કર...

17 November 2018

ગણિત ગઝલ:

ગણિત ગઝલ:

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખાની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

અને છેલ્લે...

ચાલ જીંદગી, થોડુ બેસીએ,
મારાં કરતા,
તુ વધારે થાકી ગઇ છે.

માતા-પિતા અને સંતાન બધાએ આ વાર્તા વાંચવી જોઈએ…

માતા-પિતા અને સંતાન બધાએ આ વાર્તા વાંચવી જોઈએ…

અંત સુધી વાંચજો

*“ છેલ્લો પત્ર”*

ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઉભી રહી. આ એક નાનકડું રેલવે સ્ટેશનહતું.

પરશોતમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા, સાથે બે મોટા મોટાથેલા હતાં.

ટ્રેઈનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોતમદાસ રેલવે
સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યાં.

સામેથી જ કરશન દેખાયો.

એ દોડ્યો અને પરશોતમદાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.

“દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યાં.?

“હા ઘણાં દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવાજૂની છે એ કહે”

પરશોતમદાસજી બોલ્યાં.

“બસ કશું જ નવીનમાં નથી,

પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે”

કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ પરશોતમદાસજી ગોઠવાઈ ગયાં.

“એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું”

પરશોતમદાસજી એ કરશન સામે જોઇને કહ્યું.

રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી.

રસ્તામાં મળતાં પરિચિતો દાસજી સામે જોઇને સ્મિત કરતાં હતાં અને હાથ હલાવતાં હતાં.

“મને કલર કામ કરવાવાળો ટીકુડો કહેતો હતો. દાસજીનો છોકરો મકાન વેચી નાંખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને દાસજીને ત્યાં લઇ જશે.”

પરશોતમદાસકાનજી ને આ ગામમાં બધાં દાસજી કહેતાં હતાં. ગામની ત્રણ પેઢીને ભણાવીને એ છેલ્લાં ચાર વરસથી નિવૃતીનું જીવન ગાળતાં હતાં.
મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો. આશરે ૩૦ વરસની વયે છેલ્લે છેલ્લેમયંકને નોકરી મળી હતી. અને બે વરસ પછી તો મયંક પરણી ગયો હતો. અને આજે મયંકને ત્યાં બે સંતાનો પણ હતાં.

બે વરસ પહેલાં જ દાસજીના પત્ની અવસાન પામ્યા હતાં અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયાં હતાં. નાના એવા નગરનાં એક જાણીતાં વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઉભી રહી. અને એ રિક્ષા માંથી ઉતરીને પોતાના ઘરનાં દરવાજા પાસે ગયાં અને ડોરબેલ વગાડી.
કરશન બંને થેલા મુકીને જતો રહ્યો. મયંકની પત્ની વનિતાએ બારણું ખોલ્યું. અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યાં.

મયંકનો નાનો દીકરો કિશન દોડ્યો.

“દાદાજી આવ્યા દાદાજી આવ્યા દાદાજી મારે માટે શું લાવ્યાં”?

અનેપરશોતમદાસ નો બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો.

એ જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનીતાનો અવાજ સંભળાયો.

“કિશન, હોમવર્ક બાકી છે એ કોણ કરશે.? અને ડોકટરે ના પાડી છે ને કે ચોકલેટ ના ખાવાની દાંતમાં કીડા પડી જાય છે, કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય નથી જવાનું તોય શરમ નથી તને.?"

અને કિશન થીજી જ ગયો.અને સાથોસાથ દાસજી પણ !!

ગામ આખું જેના વખાણ કરતાં નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે હડધૂત થતા હતાં.

મયંક તો આઠ વાગ્યે સવારે જતો રહે તે છેક સાંજના સાત વાગ્યે આવતો.

આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતાં.
સવારે આઠ વાગ્યે એક કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી. બસ પછી તો બાર વાગ્યે એક થાળી રૂમમાં આવી જતી. એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું. જો કોઈ વસ્તુ માંગે તો રસોડામાંથી વનીતાનો અવાજ સંભાળતો.

“હવે ઘરડે ઘડપણે સ્વાદના ચટકા ઓછા કરો. માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે.? આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી પણ સમજ ના આવી તે ના જ આવી. જેમ ઉમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ.આખો દિવસ ઘરે જ ટોચાયા હોય માણસ હોય તો બે ઘડી બહાર આંટો મારી આવે”

અને દાસજી બધું જ સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે કોઈ એને ચા પીવા પણ લઇ જાય
એનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને અને ઘરનો કંકાસ દાસજી ભૂલી જતાં. બગીચામાં જાય નાના ભૂલકા હોય એને વાતો કહે કવિતા ગવરાવે છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય. ક્યારેક વનિતા બહાર ગઈ હોય ત્યારે પરશોતમ દાસ વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે વનીતાની આચારસંહિતા અને પરશોતમ દાસની લાચારસંહિતા લાગી જાય.

એવું નહોતું કે એણે મયંકના કાને આ વાત નહોતી નાંખી. જયારે મયંક ને વનિતા વિષે કીધું ત્યારે મયંક એવું બોલેલો કે એણે એ વાત બીજી વાર કરી જ નહિ.

“તમારી મતિ ભ્રષ્ટ થઇ ગઈ છે બાપુજી ! હવે તો નિવૃત થયા છો એટલે તો વેદીયાપણું મુકો ! મારી વનિતા આવું વર્તન કરેજ નહિ પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે ! એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ ! તમને આટઆટલા તો સાચવીએ છીએ અને જો વનિતા એવી હોયને તો તમને ક્યારનાય વૃધ્ધાશ્રમમાં ના મોકલ્યા હોય આ તો તમારે હવે જાતિ જિંદગીએ અમને ભૂંડા લગાડવા છે ને અને તમે કેટલાં દુખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો ! તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરુંને..?”

મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ ઝખમ આપી ગયાં હતાં.

એ સમજતા હતાં કે મારા પેન્શનના વિસ હજાર આવે છે ને એટલે જ તમે મને ભેગો રાખ્યો છે નહીતર તો ક્યારનોય બહાર તગેડી મુક્યો હોત. પોતાનાં રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા.

અને એમાય પંદર દિવસ પહેલા એણે વાત કરી કે જુના મિત્રોને મળવા અમદાવાદ જવું છે તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી. બે થેલા એણે તરત જ તૈયાર કરી દીધાં હતાં. અને આજે આવ્યા ત્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી.

“સાંજે મયંક આવ્યો એ પોતાના ઓરડાના બાર સાખે ઉભા
હતાં, મયંકે અછડતી નજર નાંખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

આ આખું મકાન એણે અને એની પત્નીએ જીવ દઈને બનાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી મયંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતાં હતાં. દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગ્યે મયંક તેના રૂમ પર આવતો એને બાઈક પર બેસાડી ને બેન્કે લઇ જતો. પેન્શનના ૨૦૦૦૦ રૂપિયા એ લઇ લેતો. પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો વનીતાનો કકળાટ પેલી તારીખ ના આવે ત્યાં સુધી શરુ રહેતો.

દાસજીને મયંક સાથે વાત કરવી હતી.

મયંકે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થયો હતો.

અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતાં અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો એ બાબત એને વાત કરવી હતી.

જમીને મયંક બહાર જતો રહ્યો અને વળી પાછા દાસજી રાહ જોતા રહી ગયાં.

છેવટે એણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો.બે વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે જોઈ રહ્યા. અગિયારેક વાગ્યા હશે ને ડોરબેલનો અવાજ આવ્યો.

પરશોતમદાસજી મક્કમ ડગલે ઉભા રહ્યા અને બોલ્યાં.

“મયંક અહી આવ તો કામ છે તારું”

મયંકે નજર પણ ના નાખી અને બોલ્યો.

“કામ હોય તો સવારે કહેજો એક તો આખા દિવસ બેંકમાં થાકી જતાં હોઈએ અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઉભી જ હોય”

પણ દાસજી મક્કમતાથી બોલ્યાં.

“સવારે મોડું થઇ જશે ! ખુબ જ મોડું એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં.
કામમાં બીજું તો કશું જ નથી બસ એક આ પત્ર તને આપવાનો છે, એ વાંચી લેજે બાકી મારે તારો ટાઇમ જોતો પણ નથી મયંક!! મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ”

આટલું કહીને દાસજીએ એક પત્ર આપ્યો.

આજ એની આંખો ધારદાર હતી.

વનિતા પણ દૂરઉભી રહીને આ બધું જોતી હતી.

આજ એને પણ સસરાજીનું વર્તન સમજમાં ના આવ્યું.

પરશોતમદાસ પત્ર આપીને પોતાના રૂમમાં જતાં રહ્યા અને સુઈ ગયાં હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો !

મયંકે પત્ર વાંચવાનો શરુ કર્યો. બાજુમાં વનિતા બેઠી હતી.

પ્રિય મયંક અને મારા વહાલા પૌત્રો વૈશાલી અને કિશન આપ સહુની કુશળતા ચાહું છું. આપની પાસે સમય નહોતો એટલે ના છુટકે મારે આજ પત્ર લખવો પડે છે. આ મારો છેલ્લો પત્ર છે.

હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જીંદગી માં તકલીફો સહન કરી છે.

મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતાં અને હું સહુથી મોટો હતો અને મારી પછી બીજા ત્રણ ભાઈ બહેનો હતાં એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું.

હું નાનો હતો ત્યારથી દાડીએ જતો. આ નગરની કોઈ એવી સીમ નહિ હોય કે જ્યાં મેં મજુરી કામ નહિ કર્યું હોય. સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજી ના ખોળામાં રમતાં હોય કે સુતાં હોય, મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે, પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો.

મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયાં કે મારા પિતાજી અવસાન પામ્યા, અને માતા પણ બીમાર જ રહેતી એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી.

હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો.

ભાઈઓ મોટા થતા ગયાં અને ખર્ચા વધતાં ગયાં.

બે બહેનોને પરણાવી.

મારી પહેલાં નાના
ભાઈઓને પરણાવ્યા.

બધે મારી વાહ વાહ થવા લાગી. ત્યારે શાળાંત પાસ ને શિક્ષકની નોકરી મળી જતી.

મને પણ મળી ગઈ.

ભાઈઓ પાંખો આવી એમ ઉડી ગયાં.

મનમાં થતું કે હું કોના માટે જીવું છું.

પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે.

તારી મમ્મી પણ હું નિશાળે જાવ પછી ગામના કામ કરવા જતી.

અમે પાઈ પાઈ બચાવતા.

એ વખતે પગાર ટૂંકો તારો જન્મ થયાં પછી હું આ નગરમાં વેપારી પેઢીના નામાં લખતો. એમાંથી જે રકમ આવે એ હું દર મહીને પોસ્ટમાં મુકતો. કયારેય સારું લૂગડું મેં નથી પહેર્યું.

એક વખત તું આઠ વરસનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા બુટ જોઈએ છે અને હું શહેરમાં ગયેલો. બુટ તો મેં લઇ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા વધ્યા. હું વિસ કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને બુટ અપાવેલા.

ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા. રકમ બચાવતો એ પોસ્ટમાં મુકતો ગયો.

અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળેલી.

રાતેરાતે હું અને તારી માં આ મકાન ચણતા ! કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે એ રાતે બાર વાગ્યા સુધી એમને એમ ચણવા આવતો, આમાં જે ઈંટ વપરાઈ છે ને તે એક એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે. આ રીતે આખું મકાન તૈયાર થતાં સાત વરસ લાગેલા.

પછી તો પગાર વધ્યો પણ મેં કરકસર ના છોડી.

તું બી કોમ થયો, તને નોકરી મળી તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે.

પણ કેવા દિવસો !

તારા સંતાનોને હું ના રમાડી શકું !

જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નહિ !

તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો !

એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફલેટ લેવો છે.

તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહિ..?

હું અંદરથી હલી ગયો છું !

હું હવે મારી રીતે જીવવા માંગુ છું,

હું જે રકમ પોસ્ટમાં મુકતો એ ડબલ થતી હતી એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો આમને આમ આ રકમ હવે એવડી થઇ ગઈ છે કે દર મહીને ૨૦૦૦૦ હજાર જેટલી રકમ મને મળે છે.

આ વાત મેં તને કદી નથી કરી. મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઈઝ આપીશ,  મારું પેન્શન તો જુદુ જ આવે છે.

હું છેલ્લા પંદર દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે.

અમુક તો ઘરડાં ઘરમાં છે.

અત્યારે ઘરે આલ્શેસિયન કુતરો પોસાય પણ ગરીબ ગાય જેવા માં બાપ નથી પોસાતા અને આમાં વાંક માં બાપનો જ છે,

એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે બસ એ આશયથી કે બાકીની જિંદગી સંતાનો એની જિંદગી એમની પાછળ ગાળે એમની વાતો સાંભળે.

બસ અહી જ માં બાપ ભૂલ કરે છે.

પછી સંતાનો એની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે એ બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઇ જાય છે કે માં બાપને સલાહ આપવા લાગે છે.

એટલે મેં એક નિર્ણય લીધો છે બે દિવસ પછી મારા આઠ મિત્રો અહી રહેવા આવશે. આ ઘરમાં,
કારણકે આ મારું ઘર છે,
મારી માલિકીનું છે.

અમે સાથે અહી રહીશું.

બે જણને રાંધતા આવડે છે એ જેવું બનાવે એવું ખાઈ લઈશું.

મારી પેન્શનની રકમ માંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે.

તમારી પાસે બે દિવસનો સમય છે.

તમારી વ્યવસ્થા તમે કરી લો.

ભાડે રહેવું હોય તો ભાડે રહેજો જે કરવું હોય એ પણ બે દિવસમાં તમારે જતું રહેવાનું છે મન ફાવે ત્યાં.

આ મકાન પર મેં મોટા અક્ષરે “મયંક” લખેલું છે એ કાલે જ દૂર થઇ જશે.

અને ત્યાં   “ખીલખીલાટ” લખાઈ જશે.

અમારે હવે વૃદ્ધ થવું જ નથી. ફરીથી નાના બાળક જેવું થવું છે.

મારા જે આઠ મિત્રો આવે છે એનામાં કોઈને કોઈ આવડત છે જ એમાં એક તો ડોકટર પણ છે.

એ અમારી તબિયત પણ સાચવશે.

આ મારો ફાઈનલ નિર્ણય છે. કોઈજ વાતચીત હું કરવા માંગતો નથી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. કોઈ મને તરછોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં છું.

કારણકે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો માં બાપ શા માટે નહિ??

બસ એજ પોતાની માટે જીવવા માંગતો.

*પરશોતમદાસ કાનજી*

અને બે દિવસ પછી જ મયંક અને માલતી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યાં.

નીકળતા પહેલા એ આશીર્વાદ લેવા ગયાં હતાં પણ દાસજીએ કીધું કે લગ્ન થયાં પછી સંતાનોને આશીર્વાદની કોઈ જ જરૂર રહેતી નથી.

એ પોતાના નિર્ણય માં અફર રહ્યા અને આજે એ
“ખીલખીલાટ" બંગલામાં નવ વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે.

આજુબાજુના ગામોમાં ખુબ ચર્ચા થઇ પણ કોઈ આમાં પરશોતમદાસજી નો વાંક જોતું નથી.

*ગમે તો આગળ મોકલશો.*

મુકેશ સોજીત્રા લિખિત "છેલ્લો પત્ર" !!!...