30 July 2016

સ્વછતા અભિયાનમાં જોડાજો  રે.

...........સ્વછતા.......અભિયાન. .........

આટલો સંદેશો હાજીપુરવાસીઓને કહેજો,
સ્વછતા અભિયાનમાં જોડાજો  રે..........
                         આટલો સંદેશો. .............

કચરો તો હંમેશાં  કચરાટોપલીમાં નાખીએ,
કચરો ગમે ત્યાં  ન ફેકવો જોઈએ. .................
                          આટલો સંદેશો. .............

કચરો ફેકવાવાથી ઠેર ઠેર  ગંદકી  ફેલાય છે,
ગંદકી થી નવા નવા રોગ  થાય  છે................
                          આટલો સંદેશો. ....................

સ્વછતાના ગુણો લઈને આવ્યું છે આ અભિયાન,
સ્વછતાનાસંસ્કાર  સાથે લાવ્યું  રે.............
                          આટલો સંદેશો. .................

મસાલો ખાઈને  ગમે ત્યાં  થૂકવુ ન જોઇએ,
ગમે ત્યાં  પિચકારી  ન મારવી રે...............
                          આટલો સંદેશો. ................

એક કલાકનું  રોજ શ્રમદાન કરીએ,
નદી યાત્રાધામ ચોખ્ખા  રાખીએ. .........
                         આટલો સંદેશો. ..........

ગંદકી ને હંમેશાં  દુર કરવી રે જોઈએ,
ગાંધીજીના ગુણો સાકાર થાશે રે.........
                        આટલો સંદેશો. ...........
             -જાલમસિંહ વાઘેલા  ( હાજીપુર પ્રાથમિક શાળા.  તા : જિ :  પાટણ )