16 August 2016

*"હુ 15મી ઓગસ્ટ"*

🇮🇳 *"હુ 15મી ઓગસ્ટ"* 🇮🇳

*_15ઓગસ્ટ પર્વની દેશવાસીયોને ખૂબ ખૂબ શુભકામનોઓ._*

*" મારુ નામ 15મી ઓગસ્ટ"*

*પ્રિ*ય ભારતીયઓ,

_વિદ્યાર્થીઓ માટે હુ પરીક્ષામા પૂછાતો 10 માર્ક નો નિબંધ છુ સુરક્ષા કર્મચારીઓ માટે ફરજ છુ સરકારી કર્મચારીઓ માટે માત્ર હુ એક જાહેર રજા છુ અને સમગ્ર દેશવાસીયો માટે કદાચ નિબંધથી વધુ કંઇ નથી._

આજના દિવસે કોક્ડુવાલીને કબાડમાં ગઈ સાલનો ગોઠવેલો હશે એ રાષ્ટ્રધ્વજ ગોતવામા આવે છે અને જો એ રાષ્ટ્રધ્વજ કદાચ ગણેશજીના વાહનનો આહાર બની ગયો હોય તો તાબડતોડ છાનોમાનો નવો ખરીદવામા આવે છે.કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલી ગયા હોય એની આબરૂ ન જાય એ માટે ઘણી જગ્યા એ માત્ર મારી ટ્યુન જ વગાડવામા આવે છે અને 52 સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઇલ રણકાર કરતા હોય છે આ બધુ મે મારી સગી આંખે જોયુ છે કારણ કે હુ મુંગી અને લાચાર 15મી ઓગસ્ટ છુ, ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલા 8/10 દેશભક્તિના ગીતો પર નાના ભૂલકાઓ અભિનય ગીતો રજૂ કરાય છે એ બાલકો અને એ બાલકો જેટલી જ અલ્પ સંખ્યામા ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધાવાય છે ઓક્સિજન પર જીવતી મારી આ હાલત અને બાલકોના ઉત્સાહને ટકાવવા માટે દાતાઓ દ્વારા ઇનામ જાહેર કરાય છે..વેટ-ટેક્ષ કે સોના-ચાઁદીની આયાત નિકાસ ના અન્યાય માટે ગમે ત્યારે આઁદોલન કરવા તૈયાર રહેનાર વેપારીઓ મને છેલ્લા કેટલાય વર્ષોમા અઢધી કલાક દુકાનો બંધ રાખીને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવુ મને યાદ નથી છતા હુ તો સૌને માફ કરી દઉં છુ કારણ કે હુ સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છુ

પોતાની જાતિ કે નાત ના ઉદ્ધારકની તિથિ પર કે પોતાના સમાજના કોઇપણ ફંક્શનમા કે સમાજને થતા અન્યાયના વિરોધમા એક એસએમએસથી સૂપડા મોઢે એકઠા થઈ જતા આ દેશવાસીયોને મારા સન્માન માટે 15મિનિટ કાઢવાનો સમય નથી
ભારતમા દેશભક્તિ સાવ સીજનેબલ થઈ ગઈ છે આટઆટલા વર્ષોમા આત્મગૌરવ લઇ શકુ એવા આંગલીને વેઢે ગણાય એટલા નામ વર્તમાનમા મારી પાસે નથી અરે નસીબ આ દેશના એક અગસ્ત રૂષિએ હાથની અંજલિમા દરિયાને પી ગયા હતા એ કથા તો પુરાણ પ્રસિધ્ધ છે પરંતુ આ દેશને આઝાદી પછી તો એક નહી પણ 15 અગસ્ત મલ્યા છતાંય ગરીબોના આંસુ આજ સુધી કેમ ના પી શક્યા? 15મી ઓગસ્ટ તરીકે મને મુઁજારો થાય છે..લાલ કિલ્લાની એ દિવાલો જોઈને એ લાલ રંગમા મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ ની આંખોનો એ લાલ રંગ સામ્ભલે છે,પરેડના કદમતાલમા મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હુ એક ધબકારો ચૂકી જાવ છુ આ શસ્ત્ર પ્રદર્શન જોઈ અને મારા માટે પોતાના માથે કફન બાંધીને શસ્ત્રો હાથમા લઈ લડેલા મારા એ પ્યારા સંતાનો તાત્યા ટોપે, ઝાંસીની રાણી, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, મેડમ ગાવા, મદનલાલ ધીગરા, સુભાષચંદ્ર બોજ,કેપ્ટન લક્ષ્મી,જાનકી થેવાર કે લાલા લજપતરાય મને યાદ આવે છે.મારી પાસે ભવ્ય ભૂતકાળ છે પરંતુ હુ ઘાયલ વર્તમાનથી ઘવાયેલ 15મી ઓગસ્ટ છુ

આ દેશને અઢધી રાત્રે આઝાદી મળી છે એટલે જ તો કદાચ કદાચ કદાચ આખો દેશ અને દેશવાસિયો ઊંઘમા છે,ભ્રષ્ટાચાર,કોમવાદ અને સ્વાર્થની ઉધઇ એ મારુ મૂલ્ય હણી લીધુ છે અત્યારની પેઢીને સાવ મફતમા મળેલી આ આઝાદીની બહુ કિમંત નથી એટલે જ યુવાપેઢીના બહુ મોટા વર્ગને દેશમાથી ભણીગણીને જેટલુ જલ્દી બને એટલુ વિદેશમા સેટલ થવુ છે અરે મે ગાંધી થી લઇ અને અણ્ણા હજારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે વોટબેંક માટે વંદે માતરમ ગાવા વાલા અને ગૌ હત્યાના કાયદા માટે મૌન સેવનારાઓ ને હુ રૂબરૂ મલી છુ છતા આજે આ ભૂલકાઓના અભિનય ગીતો નીહાળી રાજી થાવ છુ એટ્લિસ આ બાળકો ભણશે ત્યા સુધી તો આ તિરંગાને સલામી આપશે..

મારુ ચાલેને તો ધ્વજવંદન હુ દરેક ભારતીયને માટે ફરિજિયાત બનાવી દઉં,ધ્વજવંદનનો જેની પાસે સમય નથી એવા લોકોને આ દેશમા રહેવાનો, જીવવાનો કે કોઈ પણ પ્રકારના હક માંગવાનો અધિકાર નથી પણ મારુ માને કોણ કારણ કે હુ અસહાય 15મી ઓગસ્ટ છુ.

કાશ આ દેશના ગદારૉ અને આંતકવાદીઓ ને ફાંસીથી બચાવવા માટે સડક અને સંસદમા ધમપછાડા કરનારા મહાનુભાવો જો આઝાદી પહેલા પણ મારી પાસે હોતને તો કદાચ આપણે ભગતસિંહ,ખુદીરામ,સુખદેવ,રાજ્યગુરુ કે મંગલ પાંડે પણ જીવાડી શકયા હોત પણ અફસોસ કે હુ અભાગણિ 15મી ઓગસ્ટ છુ
સવારના પહોરમા ટ્રાફિક સિગ્નલ પાસે પાંચ પાંચ રૂપિયાના પ્લાસ્ટિક ના તિરંગા વેચતા 10 વર્ષના ભૂલકાઓને જોઈને હુ રડી પડું છુ આ બાલકો ત્રિરંગો નહી એનુ બાલપણ વેચે છે કેમ આઝાદ ભારતના કોઈને નથી દેખાતું કેમ કોઈને ડંખતુ નથી ? 16મી ઓગસ્ટની સવારે જ્યારે વોકીંગ કરવા નિકલો ત્યારે જરાક જીણી નજરે જોજો તમારા દેશની આન બાન અને શાન સમો ત્રિરંગો તમને કચરા પેટીમા કે રસ્તે ઉકરડામા જરૂર જરૂર અને જરૂર રજલતા જોવા મળશે

*હે ભારતવાસીયો,*
આપ સૌને મારી અંતિમ પ્રાથના છે કે મે તમને ભલે આઝાદી આપી પણ આજના દિવસમાથી મને મુક્તિ આપો ના થઈ શકે તો મારી ઉજવણી બંધ કરી દો કારણ કે તમારી અલ્પ સંખ્યાની હાજરી મારા શરીર પર ઉજાળા કરી જાય છે તમારી બેફીકરાઇથી હુ રોજ રોજ મરૂ છુ મારુ રાજીનામુ સ્વીકારી લો બસ...તોય હુ 10 માર્કના નિબંધ તરીકે તો જીવિત રહેવાની જ છુ પ્લીજ પ્લીજ મને મુક્તિ આપો હુ તરફ઼ડુ છુ હા હુ તરફ઼ડુ છુ જખ્મી બનીને માનવતાથી ડ્રાયલ થતી અને નિસ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ભરેલી કુદિવ્ય 108 ના ઈન્તજારમા.
જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન અને જે નથી કરતા એને મારા અભિનંદન કારણ કે તેમ છતાંયે પોતાને ભારતીય ગણાવે છે...

વાહ
આવજો હવે કદાચ કોઈ દી નહી મલીયે..
લીખીતન :કદાચ કોઈની નથી રહી એવી અનાથ 15મી ઓગસ્ટના છેલ્લા જય હિંદ
સાંઇરામના વંદે માતરમ મારી વાત જો તમારા હ્રદય સુધી પહોચી હોય તો એનો સ્વીકાર કરી અને અમલ કરજો આજુબાજુમા ક્યાય થઈ શકે તો જરૂર થી ધ્વજવંદન કરજો અને જો ક્યાય જઇ શકાય એમ ન હોય તો ઘરમા ટીવી સામે ઊભા રહી ધ્વજવંદન અને સલામી જરૂરથી આપજો આકાશમાથી શહીદોના આત્માઓ રાજી થશે.

*આભાર*
🇮🇳 *વંદે માતરમ*
🇮🇳 *ભારત માતા કી જય*
🇮🇳 *જય ભારત એક ભારત*

*સૌજન્ય:* સાંઇરામ દવે સાહેબ લિખિત અને ઑડિયો પરથી..