19 December 2016

નનામીને ખભ્ભો આપવાનો અવસર જ ના આવે

*એક વાર જરૂર વાંચજો* !

*એક માણસનું મૃત્યુ થયું એટલે એના અંતિમ* *સંસ્કાર માટે સગાસંબંધી અને* *મિત્રવર્તૂળ ભેગું થયું*. *આંખોમાં આંસુની ધાર સાથે સ્મશાનયાત્રા* *નીકળી*. *નનામીને વારાફરતી બધા ખભ્ભો આપી રહ્યા હતા*. *ખભ્ભો આપવા માટે બધા લોકો ઉત્સુક હતા અને દોડી-દોડીને નનામી પોતાના ખભ્ભા પર લઇ રહ્યા હતા*.
*એક નાનો બાળક પણ એના પિતા સાથે સ્મશાનયાત્રામાં આવેલો. બાળકે આ જોયું એટલે એને કુતૂહલવશ પિતાને પૂછ્યું, "પપ્પા આ બધા નનામીને ખભ્ભો આપવા માટે પડાપડી *કેમ કરે છે* ?* " *પિતાએ કહ્યું*,"બેટા, *મૃત્યુબાદ માણસના શરીરનું વજન વધી જાય. ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા ખભ્ભો આપે*.
*બીજું એવી પણ માન્યતા છે કે મરેલા માણસની નનામીને ખભ્ભો આપીને એને ઉચકાવામાં મદદ કરવી એ પુણ્યનું કામ છે એટલે પણ બધા ખભ્ભો આપવા આગળ આવે છે"*.
*પિતાની વાત સાંભળીને બાળકને હસવું આવ્યું એટલે પિતાએ હસવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું*,
   " *મરેલા* *માણસને ખભ્ભો*  *આપવા બધા* *સગાવ્હાલાઓ કેવા દોડાદોડી કરે છે*. *મરેલા માણસનું વજન બધા વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખભ્ભો આપે છે એવી જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગાસંબંધી થોડોથોડો ટેકો આપે તો તકલિફમાંથી એ બિચારો કેવો બહાર આવી જાય*"!
*મિત્રો*, *મરેલા માણસને ખભ્ભો આપવો એ ખરેખર પુણ્યનું જ કામ છે પરંતુ જીવતા માણસને મુસીબતમાં ટેકો આપવો એ મહાપૂણ્યનું કામ છે*. *જો જીવતા માણસને એની મુશ્કેલીના સમયે પરિવાર અને મિત્રોનો ખભ્ભો મળી જાય તો કેટલાય માણસ બચી જાય અને એની નનામીને ખભ્ભો આપવાનો અવસર જ ના આવે*.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻