8 October 2017

"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

- ( શાંત મન )-

એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.

જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
એટલે -
તે માણસે તેની ઘણી શોધ કરી...
પણ,
તે ઘડીયાળ ન મળી !

તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
અને,
તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...

તેથી,
તે માણસે વિચાર કર્યો કે -
આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...

તેણે છોકરાઓને કહ્યું કે -
જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
તેને તે સરસ મજાનું ઇનામ દેશે.

આ સાંભળીને -
છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
અને,
અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...

પરંતુ,
કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !

ત્યારે,
એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
પણ,
બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !

અમીર માણસે તેની વાત માની લીધી.

તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...

થોડી વાર બાદ -
તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.

તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

તેણે છોકરાથી પૂછ્યું -
"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?

જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

છોકરાએ જવાબ આપ્યો -
"મેં કાંઈ કર્યું નથી...

બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
અને,
ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...

કેમ કે -
'વાડા' માં શાંતિ હતી...

એટલે -
મેં તેનો અવાજ સાંભળી લીધો...
અને,
તે દિશામાં જોયું !

સારાંશ -
એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
એક 'થાકેલા' મગજની તુલનામાં !

માટે -
દિવસમાં થોડા સમયના માટે...
આંખો બંધ કરીને,
શાંતિથી બેસજો !

પોતાના મસ્તકને શાંત થવા દેજો...
પછી,
જૂઓ !
તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!

કેમકે -
દરેક આત્મા -
હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
બસ,
મનને શાંત કરવુ જ 'પડકાર' છે.

આ પડકાર -
થોડું અઘરું જરૂર છે...
પણ,
'અસંભવ' જરાય નથી !!