શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો તથા પાંચ પ્રાણ.
આ પાંચ આવરણ એટલે કે કોષને સમજતા પહેલા ત્રણ શરીરને સમજવા પડે એટલે તેની ટુંકમાં સમજ નીચે આપેલ છે
અનંત, અવિકારી, આત્માના સાક્ષાત્કાર વિના કે આત્માની સાચીઓળખાણ વગર માણસ પોતાના સ્થુલ, સુક્ષ્મ અને કારણશરીરને જ આત્મા માની લે છે.
સ્થુલ શરીર :-
ભૌતીક શારીરિક મરણાધીન શરીર જે ખાયાછે,શ્વાસ લે છે અનેહલન-ચલન કરે છે તેને સ્થુલ શરીર કહે છે. તે દ્રવ્યમાંથી બનેલ છે. સ્થુલ શરીર જીવ માટે અનુભવનું સાધન છે તેના દ્વારા જીવદુનિયવી વસ્તુંને અનુભવ કરે છે. તે પાંચ મુળભુત તત્વો
(૧) આકાશ
(૨) વાયુ
(૩) અગ્નિ
(૪) જળ
(૫) પૃથ્વિ થી બનેલ છે.
અને તે છ અવસ્થામાંથી પસાર થાય છે જન્મ, નિર્વાહ, વિકાશ, પરિપક્વતા, દૂબળું કે કંગાળ થઈ જવું અને મૃત્યુ. મૃત્યુ પછી સ્થુલ શરીર નાશ પામે છે.
સુક્ષ્મ શરીર:-
સુક્ષ્મ શરીર મન અને મહત્વપૂર્ણ ઊર્જા જે ભૌતિક શરીર જીવંતરાખે છે તેનું બનેલ છે. સુક્ષ્મ શરીરમાં એટલે
(૧) પાંચ જ્ઞાનેન્દ્રીય :- આંખ, કાન, ત્વચા જીભ,અને નાક
(૨) પાંચ કર્મેન્દ્રિય :- મુખ, હાથ,પગ, ગુદા, પ્રજોત્પત્તિસંબંધી અંગો.
(૩) પાંચ પ્રાણ :- પ્રાણ,( શ્વાસોચ્છ્વાસ ) અપાન,(શરીરમાંથી કચરોનું વિરેચન) વ્યાન, (રક્તપરિભ્રમણ),ઉદાન,(છીંક રડવું, ઉલટી જેવી ક્રિયાઓ) સમાન(પાચનશક્તિ)
(૪) ચાર અત:કરણ :- (અ) મન (બ) બુધ્ધિ (ક) ચિત (ડ) અહંકાર
(અ) મન :- માનસ સામાન્ય રીતે વિચારસરણી વિધાવિભાગ સૂચવે છે. માનસિક પ્રવૃત્તિ છે કે જે રીતે
પોતાની જાતની સંકલ્પશક્તિ પ્રગટ કરે છે. જો ઇચ્છાશક્તિ હોય તો શરીર,વિચાર, બોલવાનું
કાર્ય થાય છે.
(બ) બુધ્ધિ :- બુદ્ધિ વૈદિક સંસ્કૃત શબ્દ જેનો અર્થ બૌદ્ધિક વિધાવિભાગ છે અને રચના અને
વિભાવનાઓની જાળવી, કારણ, પારખી લેવું ,નિર્ણાયક, સંપૂર્ણપણે સમજવું, કેવી રીતે કરવું
તે આકલન કરવાની શક્તિ એટલે બુધ્ધિ.
(ક) ચિત :- મુખ્યત્વે તે વ્યક્તિના માનસિક અવસ્થા રજૂ કરે છે,સમગ્ર માનસિક પ્રક્રિયાઓની ગુણવત્તા
માટે ચિત કહેવામાં આવે છે અથવા વાપરવામાં આવે છે. ચિત સભાન હોવાનો આધાર છે. તે
પ્રીતિ, દ્વેષ, અને ભ્રમ થી અશુધ્ધ થાય છે.
(ડ) અહંકાર :- આ સંષ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે અહમ :- સ્વયં અથવા "હું" અને કારા :- "કોઇ
પણ વસ્તુ બનાવવામાં " અથવા "કરવું" ના ખ્યાલ ઉલ્લેખ કરે છે.
સુક્ષ્મ શરીર નાશ પામતું નથી પણ કારણ શરીર સાથે રહે છે.
કારણ શરીરા :-
કારણ શરીર એ શુક્ષ્મ શરીર અને સ્થુલ શરીર નું બીજ છે. તે ભેદભાવ વગરનું રૂપ છે. તે આત્માની વાસ્તવિક ઓળખના અજ્ઞાનને લીધે ઉદભવે છે. ગયા જન્મના સંષ્કાર તથા વિદ્યા, જ્ઞાન આ શરીરમાં સગ્રહ થાય છે. માયા સાથે નું અટુટ બંધન તથા વાસના આ શરીર સાથે જાય છે પણ કારણ શરીર આત્મા નથી.
પાંચ કોશ શરીર :-
આપણો આત્મા પાંચ કોષ એટલે કે પાંચ આવરણમાં છુપાયેલછે. આ પાંચ કોષ તૈતરીય ઉપનીષદના બ્રહ્માવલીમાં બતાવેલ છે.આપાંચ કોષ એટલે
(૧) અન્નમયકોષ
(૨) પ્રાણમયાકોષ
(૩) મનોમયકોષ
(૪) વિજ્ઞાનમય કોષ
(૫) આનંદમય કોષ.
(૧) અન્નમયકોષ :- સ્થુલ શરીર
(૨ પ્રાણમયાકોષ
(૩) મનોમયકોષ સુક્ષ્મ શરીર
(૪) વિજ્ઞાનમય કોષ
(૫) આનંદમય કોષ.:- કારણ શરીર
(૧) અન્નમયકોષ :-
અન્ન એટલે પદાર્થ પણ અન્ન નો શાબ્દિક અર્થ થાય છે ખોરાક.તૈતરીય ઉપનીસદમાં ખોરાકને બધા માટે ઔષધ કહેલ છે. સ્થુલ શરીર જે પદાર્થ (આહાર) માંથી બનેલછે, પદાર્થ (આહાર) વડે ટકે છે અને ક્ષણીક અને ગ્રહણશક્તિનો વિષય છે એટલે કે ગ્રહણશક્તિ દ્વારા સમજી શકાય છે તેને અન્નમયકોષા કહે છે. તેનો ઉદભવ માતાપિતા દ્વારા ખાવામાં આવેલ ખોરાક (અન્ન) છે.અન્નમયકોષ જોઈ શકાય છે અધારીત છે અને અશુધ્ધ છે.
અન્નમયકોષ આત્મા નથી કારણકે ઉદ્ભવ પહેલા તેનું અસ્તિત્વ નહોતું અને તેના નાશ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તે દરેક ક્ષણે તેનો ઉદ્ભવ થાય છે અને દરેક ક્ષણે તેનો નાશ થાય છે. તે અનંત પણ નથી. તે વિવિધ અવસ્થામાંથી પસાર થાય છે અને તેનો નાશ અવસ્ય થાય છે.
(૨) પ્રાણમયાકોષ :-
પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિય મળીને પ્રાણમયકોષ બને છે. પ્રાણમયકોષ એ પ્રાણમૂલક (અત્યાવશ્યક) પાંચ પ્રાણ અને જે અન્નમયકોષમાં સંપુર્ણ બંધાયેલ અને અન્નમયકોષ તેના દ્વારા પુરા ભરાયેલ છે.તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. પ્રાણ જ્યારે અન્નમય કોષમાં દાખલ થાય છે અને તેના તમામ કાર્ય શરૂ કરે છે ત્યારે અન્નમયકોષને જીવન પ્રાપ્ત થાય છે. પ્રાણ અસ્તિત્વોની જિંદગી અને સર્વોનું જીવન છે તે નાશ પામતો નથી.
(૩) મનોમયકોષ:- તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. તેથી તે નાશવંત નથી તે “સ્વ” છે અને પ્રાણમયકોષ તેનું શરીર છે. પાંચ જ્ઞાનેન્દ્રીય અને મન મળીને આ કોષ બને છે. મનોમયકોષ “હું“ અને “મારૂ” નું ભાન કે સંવેદના નું કારણ છે. કારણ કે મન નો સ્વભાવ જ નિર્ણયઅને શંકાનો હોવાથી અને પાંચ જ્ઞાનેન્દ્રીય મન આધારીત અને નિર્ધારિત છે તેથી આ કોષ નામ,રૂપ વગેરેમાં તફાવત ઉભો કરે છે
મનોમય કોષ સૌથી શક્તિશાળી છે કારણ કે બંધન અને મુક્તિ મન પર આધારીત છે. મન જ્યારે કોઈ દુનિયવી વસ્તુંમાં આસક્તિ પેદા કરે છે ત્યારે માણસ બંધાઈ જાય છે અને મન જ્યારે અભાવ પેદા કરે છે ત્યારે મુક્તિનો માર્ગ મળે છે. મનોમયકોષ પ્રાણમયકોષમાં
વ્યાપ્ત છે.
જ્યારે મન વાસના રૂપી અર્થ વસ્તુઓને જ્ઞાન રૂપી યજ્ઞમાં જ્ઞાનેન્દ્રીય રૂપી ગુરૂ દ્વારા હોમવામાં આવે છે ત્યારે બ્રાહ્મન હોવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
(૪) વિજ્ઞાનમય કોષ:-
તે સુક્ષ્મ શરીરનો ભાગ છે. વિજ્ઞાનમય મનોમયકોષમાં વ્યાપ્ત છે જે પ્રાણમયકોષમાં વ્યાપ્ત છે જે અન્નમયકોષમાં વ્યાપ્ત છે.બુધ્ધિ સાથે જ્ઞાનેન્દ્રીય અને તેના લાક્ષણીક કાર્યો વિજ્ઞાનમયકોષ બને છે જે સંસારનું કારણ છે વિજ્ઞાનમય કોષમાં ચૈતન્ય પ્રતિબિંબપાડવાની શક્તિ છે જે પ્રકૃતિ ( અજ્ઞાન) માં ફેરફાર સાથે આવે છે જેથી જ્ઞાન અને કાર્યની લાક્ષણિકતા સાથે શરીર અને કાર્ય સાથે ઓળખાય છે. આ કોષને જ્ઞાનનું કુદરતી શક્તિ-સામર્થ્ય પ્રદાન હોવાથી ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં સમાવેશ થાય છે અને આનંદ અને દુ:ખનો અનુભવ કરી શકાય છે. તે તેજસ્વી હોવાથી અને પરમ ચેતનાની નજીક હોવાથી ઉપાધી દ્વારા છેતરવાથી તે સંસાર (ભ્રમણ) આધીન છે
(૫) આનંદમય કોષ :-
આનંદમય કોષએ અવિદ્યા (અજ્ઞાન)નો સુધારો જ છે. આત્મા, સઘન થયેલ નિરપેક્ષ આનંદ ના એક પ્રતિબિંબ તરીકે દેખાય છે જે, ઇચ્છિત પદાર્થ જોવાથી અને મળવાથી આનંદની અનુભુતી કારણ રૂપે દેખાય છે. આનંદમય કોષની સંપૂર્ણપણે સ્વપ્ન વિનાનીઉંઘ માં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આનંદમય કોષ આત્મા નથી કારણ કે તે ઉપાધિઓ સાથે જોડાયેલ છે અને સારા કાર્યો નીઅસર તરીકે પ્રકૃતિમાં ફેરફાર તરીકે છે
મહત્વ:-
આત્મા(આંતરિક સ્વ ) ને ફક્ત તો જ ઓળખી શકાય જો આપણે આત્મા શિવાય(ANATMAN) કાંઈ છે તેવું માનવાનો ઈનકાર કરીએ.
પંચ્કોષને પણ ધીરે ધીરે દુર કરવા જોઈએ પાંચકોષને દુર કરવાથી જે ખાલીપણો આવે તેનેપણ દુર કરવાથી જે રહે તે જ આત્મા.