2 December 2017

આપણાં જીવનમાં અશાંતિનું કારણ - સમસ્યાઓ નહીં... પણ, એ સમસ્યાઓ પ્રત્યે આપણો અભિગમ હોય છે.

ગુગલના CEO - એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા.

એક વખત એક રેસ્ટોરન્ટમાં -
એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો...
એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી !

તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી...

ઘણી કૂદા-કૂદ કર્યા પછી -
એ વંદો દૂર થયો...
પણ,
એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો !

હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી...

એક વેઈટર એ વંદાને દુર કરવા માટે -
આગળ વધ્યો...

એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું !

વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું...

અને,
ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું !

હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો...

ત્યારે -
મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે...

શું ખરેખર -
આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ' માટે તે વંદો જવાબદાર હતુ ?

અને,
જો એમ જ હોય તો -
તે વેઈટર અશાંત કેમ ન થયો ??

વેઈટરે ખૂબ જ શાંતિથી વંદાને દુર કેવી રીતે કર્યું ???

આ બધા પ્રશ્નો ના ઉત્તર મારી ભીતરથી મળ્યા...

મહિલાઓની અશાંતિનું કારણ -
વંદો નહીં...
પણ,
વંદાથી બચવાની 'અક્ષમતા' જ...
એમની અશાંતિનું સાચું 'કારણ' હતુ !!

મેં અનુભવ્યું કે -
મારા પિતાજી કે મારા બોસે આપેલ 'ઠપકો'
મારી અશાંતિનું કારણ ન હતું...

પણ,
એ ઠપકાને 'સમજવાની' અને,
એ સમસ્યાનો 'રસ્તો' કાઢવાનું -
'સામર્થ્ય મારામાં નહીં હોવું'  -
એ જ મારી અશાંતિનું મૂળ કારણ હતું !!

તેવી જ રીતે -
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં...

પરંતુ,
તે ટ્રાફિક જામની સ્થિતીને 'હેન્ડલ' કરવાની મારી અસમર્થતા જ...
મારી અશાંતિનું ખરુ કારણ છે !!

મિત્રો,

આપણાં જીવનમાં અશાંતિનું કારણ -
સમસ્યાઓ નહીં...
પણ,
એ સમસ્યાઓ પ્રત્યે આપણો 'અભિગમ' (વ્યવહાર)  હોય છે.