11 January 2018

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ લખેલી આ પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે.....

એક અજીબ ઘટના સામે આવી......
એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુ ત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી.ફિલ્મો નું આધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?
મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિ થી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.

પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૃ કરીએ.

(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે...
(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૃ થયો છે. કેક મોંમાં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.
(3) આપણે ઉજવણી કરવાની અને આનંદ મેળવવાની પદ્ધતિ જ ભૂલતા જઈએ છીએ. આપણે ક્રૂર આનંદ અને ઉપરછલ્લું મનોરંજન મેળવીએ છીએ.

(4) સી.એન.ના આચાર્ય ત્રિવેદી સાહેબે જે ચિંતા અને નિસબત વ્યક્ત કરી છે તે યોગ્ય છે. ઉજવણીની પ્રીત હોય એમ રીત પણ હોય જ ને.. કોઈ પણ ઉજવણી ક્યારેય પજવણી ના બનવી જોઈએ.

જે મિત્રોને આ પોસ્ટ વિચારવા જેવી લાગે તે મિત્રો તેને શેર તો કરે જ, પણ સાથે સાથે
આપની આજુબાજુ કોઈ આ રીતે ઉજવણી કરતું હોય, તમારા પરિવાર અને સગાં-વહાલાંમાં કે આડોશ-પાડોશમાં આ રીતે જોખમી ઉજવણી થતી હોય તો તેનું ધ્યાન દોરવું જ જોઈએ.

આલેખન.. રમેશ તન્ના