14 January 2018

ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....

પતંગ ઊંચા આકાશમાં અનેક રંગીન પતંગો વચ્ચે ઊડતો હોય પણ એની દોરી કોઈકના હાથમાં હોય છે. પતંગ ઊંચો ચઢાવવો ,નીચે લાવવો કે ગોથ ખવડાવવો એ ચગાવનારના હાથમાં હોય છે. જ્યાં સુધી ચગાવનારની દોરી સાથે બંધાયેલો હોય ત્યાં સુધી એની કિંમત છે.   દોરી તૂટી કે એ પતંગની કોઈ કિંમત  રહેતી નથી.કોઈ વિજળીના વાયર પર લટકે તો કોઈ ટાંકી  પર પડી રહે.રંગ ઉડી જાય, ફાટી જાય એના તરફ કોઈ જોતું પણ નથી. એવુંજ માનવ જીવનનું છે. આપણા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. જ્યાં સુધી ભગવાન સાથે જોડાયેલા છે ત્યાં સુધી આપણી સુગંધ છે. ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....