9 November 2018

ભાઈબીજનું પવિત્ર પર્વ સંસારનું સૌથી અનેરું પર્વ છે.


"ભાઈબીજનું પવિત્ર પર્વ સંસારનું સૌથી અનેરું પર્વ છે. પિતૃગૃહની તમામ સંપત્તિ છોડીને સ્વસુરગૃહમાં જે મળ્યું તેને સસ્નેહ સ્વીકારી ત્યાં જ ઠરીઠામ થયેલી ત્યાગમૂર્તિ લાડલી બહેનને ત્યાં વર્ષમાં એકવાર, આજના દિવસે મહેમાન બનીને જવા પછળનું તાત્પર્ય એવું છે કે ત્યાની સ્થિતિ-પરિસ્થિતિ ભાઈ પોતે જોઈ-જાણી શકે. જો કોઈ કમી હોય તો પૂરી કરી શકે. બીજું કે કોઈ ભાઈ પોતાની બહેનની ત્યાગની ભાવનાને ભૂલી જાય તો તે તાજી કરવી જોઈએ. બહેનના ઘરે જમવાથી તેના ઘરનું ઋણ સ્વીકારવાની પવિત્ર ફરજ ભૂલાઈ ના જાય. બહેનના પિયરનો વહાલસોયો દરવાજો હંમેશને માટે ઊઘાડો રહે. જ્યાં બહેન હકથી વગર કારણે આવી શકે તેમજ પોતાનું વ્હાલ વ્યક્ત કરી શકે. આજના પાવન દિવસે હાર્દિક શુભકામના."