21 August 2019

રાતના ત્રણ વાગ્યા હતા.....

રાતના ત્રણ વાગ્યા હતા.....

એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી, પડખા ફરી-ફરી ને થાક્યો, ચા પીધી, સીગારેટ પીધી, અગાશી મા ચક્કર માર્યાં પણ ક્યાંય ચેન પડે નહીં, આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો, ફરતા ફરતા એને એક મંદિર દેખાયું, મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જઉ....ભગવાન પાસે બેસું....પ્રાર્થના કરુ....મને થોડી શાંતિ મળે. એ માણસ મંદિર મા ગયો, જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો, ઊદાસ ચહેરો....આંખો મા કરુણતા....એને જોઈ ને આ માણસ ને દયા આવી....પૂછ્યું..."કેમ ભાઈ આટલી મોડી રાત્રે ?"
પેલા એ વાત કરી...."મારી પત્ની હોસ્પિટલ મા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ બચી શકે એમ નથી અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી"

આ શ્રીમંત માણસે ખીસ્સામા થી રુપીયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા અને પેલા ના ચહેરા પર ચમક આવી. પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું...."હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો, એડ્રેસ પણ કાર્ડમાં છે, રુબરુ આવી ને મળજો....સંકોચ રાખશો નહીં"
પેલા ગરીબ માણસે આભાર માની કાર્ડ પાછુ આપ્યું....અને કહ્યું "મારી પાસે એડ્રેસ છે....આ એડ્રેસ ની જરૂર નથી ભાઈ"
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું...."કોનું એડ્રેસ છે..?"
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો....

"જેણે રાત ના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું"....😊

મિત્રો,
*ભગવાન છે*

અને આપણાં કર્મો જ આપણને ભગવાન સુધી લઇ જાય છે

ભગવાન પાસે ફક્ત સદબુદ્ધિ માંગી એમનો આભાર માનો....

અને *ખરી ભક્તિ સ્વરૂપે* તમારી આસપાસ નાં લોકો માટે નીસ્વાર્થિ બનો. *ભગવાનને તમારાં ફુલ-હાર,* કે *દૂધ-ઉપવાસ ની જરુર નથી*....

એક જ ભગવાને બનાવેલા એમની દુનિયાનાં સહુ લોકો માટે પ્રેમ રાખો, *પ્રામાણિક અને મહેનતુ માણસો સાથે ભાવ તાલ કરાવો નહીં,* એટલાં પણ સ્વાર્થી બનો નહીં કે તમારી ખુશી બીજાનું દુઃખ બને.

શ્રાવણ માસ નિમિત્તે આપણાં સહુમાં *માનવતા જન્મે* અને  સાચી માનવતા ને *ઇશ્વર ભક્તિ સમજીએ* એવી સદબુદ્ધિ સહુને મળે એજ શુભેચ્છાઓ.💐