9 October 2019

તમે જેટલો વિશ્વાસ તમારા બાળક ના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળક ને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે

એક શિક્ષક તરીકે આજ ના વાલીઓ ને એક નાનો એવો પ્રશ્ન
શું તમે ક્યારે ય પણ તમારા બાળક ને ડોક્ટર પાસે લઈ ગયા છો ?
બધા વાલીઓ નો એક જ જવાબ હશે હા .
ડોક્ટર જિયારે તમારા બાળક ની સર્જરી કરે ત્યારે ક્યારેય તમે ડોક્ટર ને કીધું કે સાહેબ મે ક્યારેય મારા બાળક ને હાથ નથી લગાવિયો તો તમે એને ઇંજેક્શન સુકામ અપો છો ?
બધા નો જવાબ ના માં જ હસે
કારણકે બધા ને ખબર છે કે ડોક્ટર જે કરે છે તે તમારા બાળક માટે સારું પરિણામ આવે અને જલ્દી થી નોર્મલ થાય તે માટે કરે છે
તો પછી બસ તમારા બાળક ને તમે જે શાળા માં ભણવા મોકલો છો ત્યાં પણ તમારા બાળક ને ભણાવતા શિક્ષક પણ એ જ કરે છે જે તમારા બાળક માટે સારું પરિણામ લાવી શકે અને સમાજ માં એક શ્રેષ્ઠ વ્યક્તિ બને
હા હું માનું છું કે શિક્ષક ને તેની અમુક મર્યાદા માં રહી ને કામ કરવાનું હોય છે પણ જો ક્યારેક કોઈ શિક્ષક તમારા બાળક ને વઢે અથવા થોડુક મારી પણ લે તો તમે. લોકો કઈ પણ વિચાર્યા વગર એ શિક્ષક ની ફરિયાદ કરવા શાળા એ પહોંચી જાવ છો
પણ શિક્ષક ની ફરિયાદ કરતા પહેલા તમે એ વિચારો છો કે એ શિક્ષક ને એવું સા માટે કરવું પડ્યું?
ચાલો આ પ્રશ્ન નો જવાબ પણ આપી દવ
એક નાની વાર્તા યાદ આવે છે કે કોઈ મૂર્તિ કાર જયારે પથ્થર માંથી મૂર્તિ બનાવે છે ત્યારે તે ફક્ત પથ્થર માં રહેલો નકામો ભાગ બહાર કાઢી લે છે અને એક શ્રેષ્ઠ મૂર્તિ બહાર આવે છે પણ એ મૂર્તિ ને બહાર કાઢવા માટે મૂર્તિકાર ને પથ્થર ને હથોડી વડે ટીપવી પડે છે
બસ  આ જ કાર્ય તમારા બાળક ને ભણાવતા શિક્ષક કરે છે બાળક માં થી એક શ્રેષ્ઠ વ્યક્તિ બહાર કાઢવા એને ક્યારેક કડક થઇ ને પગલાં લેવા પડે છે
અંત માં એટલું જ કહીશ કે તમે જેટલો વિશ્વાસ તમારા બાળક ના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળક ને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે