13 June 2015

જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..


જો કોઈ વ્યક્તિનો અવાજ સ્પષ્ટ નથી અને તે તોતડું બોલે છે તો તે વ્યક્તિના યોગમાં એક ખૂબ સરળ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ ક્રિયાનું ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર શુદ્ધ કરવામાં આવે છે.
ઉચ્ચારણ સ્થળ અને વિશુદ્ધિ ચક્ર- શુદ્ધિની વિધી
કોઈ શાંત અને સ્વચ્છ વાતાવરણમાં સામાન્ય સ્થિતીમાં ઉભા રહેવું. હવે મનને શાંત કરવું. આંખો બંધ કરીને સંપૂર્ણ ધ્યાન ઉચ્ચારણ પર રાખવું. લુહાર જે રીતે હથોડી ચલાવતી વખતે ઉચ્ચારણ કરે છે તેમ બોલવું (હમમમમ) અવાજ થોડે મોટેથી કાઢવો. આ ક્રિયા ઓછામાં ઓછી 25 વાર કરવી.
ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર - શુદ્ધિના લાભ
આ ક્રિયાને નિયમિત રીતે કરવાથી આપણો અવાજ એકદમ સાફ અને સુરીલો થઈ જશે. જે વ્યક્તિ તોતડું બોલે છે તેમના માટે આ ક્રિયા ફાયદાકારક છે. તેનાથી ફેફસાને બળ મળે છે. સાથે જ જે લોકો કેટલાક ઉચ્ચારણ કરવામાં કઠિન હોય તેમની સમસ્યા દૂર થાય છે. છાતીને બળ મળે છે. વાત, પિત્ત, કફ વગેરે રોગ દૂર થાય છે.