25 May 2016

સુવિચારો

સુવિચારો

·      નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.

·      શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.

·      શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.

·      શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.

·      શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.

·      બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.

·      બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.

·      સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.

·      હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.

·      શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.

·      તમે ન બોલો તમારા કામને બોલવા દો.

·      જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.

·      ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.

·      પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.

·      બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.

·      બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.

·      દરેક બાળક એક કલાકાર છે.

·      વિચાર કરતાં જ્ઞાન સારુ.

·      બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,

·      વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.

·      તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.

·      તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.

·      જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.

·      મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,

·      જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.

·      ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.

·      .વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.

·      .ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.

·      .સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.

·      .બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

·      .આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.

·      .એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.

·      .આજની મહેનત આવતી કાલનું પરીણામ.

·      .દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.

·      .સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.

·      .નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.

·      .સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.

·      .સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.

·      .આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.

·      .વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.

·      .દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

·      .નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.

·      .સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.

·      .એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.

·      .કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

·      .અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.

·      .પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.

·      .ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.

·      .જીવન સંઘર્ષનું બીજું નામ છે.

·      .જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.

·      વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી  ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.

·      ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.

·       કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

·      સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ

·      મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર

·      જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ

·      બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય

·      પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ

·      હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ

·      બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી

·      સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન

·      કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને,વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ

·      જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી;સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી

·      આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય

·      જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ

·      પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર

·      જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક

·      માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી

·      કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે

·      જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ

·      ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન

·      ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર

·      હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન

·      જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર

·      આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન

·      મારુ જીવન એજ મારો સંદેશ છે.

·      .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.

·      .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.

·      .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.

·      .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.

·      ..જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.

·      .વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.

·      .જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

·      .પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

·      .માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.

·      .જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.

·      .એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.

·      .સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.

·      .બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

·      .ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.

·      .સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.

·      .વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

·      .જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.

·      .સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.

·      .ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.

·      .નિરાશ થવું એટલે નાસ્તિક થવું.

·      .ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.

·      .સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.

·      .બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.

·      .કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

·      .જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.

·      .મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.

·      .દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.

·      .એક આંગણું આપો, આખું આભ નહિ માગું.

·      .અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.

·      .મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.

·      .સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.

·      .પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.

·      .આજના વિચારો આવતી કાલે બોલો.

·      .તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.

·      .સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.

·      .સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.

·      .હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.

·      .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.

·      .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

·      .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

·      .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

·      .બાળકો પ્રભુના પયગંબરો છે.

·      .બાળકો રાષ્ટ્રનું સુકાન છે.

·      .શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.

·      .ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.

·      .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.

·      .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

·      .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.

·      .બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.

·      જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.

·      .ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.

·      .સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.

·      .જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

·      : લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

·      દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ

·      આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ

·      બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી

·      વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા

·      જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી

·      મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ

·      આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન

·      જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે,સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ

·      કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ

·      ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ

·      દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ

·      ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે  પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ

·      ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી

·      જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી

·      મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા.શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.

·      માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ

·      મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર

·      તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

·      જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ

·      કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ

·      હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન

·      માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન

·      વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે.વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક

·      દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ

·      આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર

·      જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય

·      જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર

·      ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે.ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ

·      .મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.

·      .