28 December 2016

ગુણવતા માટે આપણો શિક્ષક સમાજ જ જવાબદાર છે...!!

💥💥  સાવધાન 💥💥

આપ શિક્ષક છો તો એક વાર જરુરથી વાંચી લેજો...
હાલ આપણા શિક્ષક એવા બીઆરસી/ સીઆરસી મિત્રોની કામગીરીના મુલ્યાકનમાં થયેલા અન્યાયથી ખુબ જ ચિંતિત છું...

યાદ કરજો મિત્રો ભુતકાળને..આ એજ મિત્રો છે....જે આપણા સારા શિક્ષકો છે.. જે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરતા હતા અને એટલે જ તેને બીઆરસી કે સીઆરસીમાં પસંદ કરવામાં આવ્યા હતા..
એક તબક્કે માની લઇએ કે   પ્રોજેકટમાં રહીને 10 % મિત્રો પોતાનું સારાપણું ગુમાવી બેઠા છે જેમાંથી કેટલાક આગેવાન થયા તો કેટલાક ધંધાર્થી..!! બાકીના 90 % મિત્રો તો હજુ પણ શ્રેષ્ઠ જ છે...એમા કોઇ શંકાને સ્થાન નથી..!!

હવે ની વાત છે મારા આ સન્માનીય 90 % શિક્ષક એવા બીઆરસી/ સીઆરસી ભાઇઓને થયેલા અન્યાય અને અવમૂલ્યનની...

100% નાંમાંકન.... ડ્રોપ આઉટ 0 પર પહોંચ્યો..અને 6 ગુણોત્સવ બાદ આજે માત્ર સી અને ડી ગ્રેડ વાળી શાળા જ દેખાણી...!! આવી...નજર વાળા ને એ+ , એ , બી ગ્રેડ વાળી શાળાઓ કેમ ન દેખાણી...!!

સરકારના વિવિધ કાર્યક્રમો માં જોઇએ તો ગરીબ કલ્યાણ મેળા થી લઇ ખેલ મહાકુંભમાં એન્ટ્રી કરવા સુધીની સફર...વિવિધ ગુજરાત (વાઇબ્રન્ટ ગુજરાત...ગતિશીલ ગુજરાત) માં રહી અનેકવિધ કામગીરીમાં જોડાયા...અને છેલ્લે જાહેરમાં જાજરુ જાનારનેય અટકાવ્યા...આ કામગીરી કોણે કરાવી.??
ટુર ડાયરીનો આગ્રહ રાખનારને આવી અનેકવિધ કામગીરી કેમ ન દેખાણી...!!

જરુર હતી 10% માટે આકરા પગલા લેવાની અને કરી નાખ્યું 100% નું...!!

હજુ તો હમણા જ 5મી સપ્ટેમ્બરે  ચાર સીઆરસી/ બીઆરસી ને સરકારે રાજયના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો...અને અત્યારે તેનું આટલું અવમુલ્યન...???

આ આપણા જેવા 90% મિત્રોના અપમાન અને  થયેલા અન્યાય માટે જવાબદાર કોણ...???
માત્ર ને માત્ર શિક્ષક સમાજ જ...!!

👇🏿સાવધાન થઇ જજો મિત્રો..નિચે આપેલા એક એક મુદ્દા પર વિચાર કરજો અને તમારા હ્રદયને પુછજો કે *ગુણવતા* માટે હું કેટલો જવાબદાર છું..? જો તમારું હ્રદય ના પાડે  કે આમા હું જવાબદાર નથી તો એ તમામ મિત્રો ને મારા અભિનંદન અને કોટી કોટી વંદન....

પરંતુ...મિત્રો આપનું દિલ એમ કહે કે હા કયાંકને કયાંક હું પણ જવાબદાર છું તો આપને મારા બે હાથ જોડીને પ્રણામ..🙏🏽...મિત્રો ચેતી જજો....!!

👇🏿એક શિક્ષક તરીકે વિચારજો👇🏿

➡ શું તમે તમારા દૈનિક આયોજન મુજબ જ વર્ગખંડ મા ભણાવો છો..???
➡ 1998 થી ગ..મ..ન..જ..પ્રમાણે શીખવવાની વાત કરી હજુ પણ કકો અને એકડો કેમ ધુંટવો છો..??
➡ સીઆરસી એ આપેલ સુચના નું કયારેય પાલન કયારેય કર્યુ છે ?? ...(જો તમારા સીઆરસી એ કોઇ સુચન આપ્યા ન હોય તો એ તેને 10% વાળા આગેવાન ગણજો )
➡ શાળાએ નિયમિત ન આવતા બાળકોના વાલીઓનો નિયમિત સંપર્ક કર્યો છે ખરો..??
➡ ઉપચારાત્મક કાર્ય સુચના મુજબ કર્યુ છે ખરું..??
➡  કયારેય ગુણોત્સવ દરમિયાન સંપુર્ણ રીતે સાચુ મુલ્યાંકન કર્યુ છે ખરું..??
➡  ગુણવતા સુધારણા માટે આપે શું કર્યુ...??
➡ કયારેય શિક્ષક આવૃતિનો ઉપયોગ કર્યો છે ખરો..??
➡  શું તમે તાલીમમાં આપવામાં આવતી સુચનાઓનું કયારેય પાલન કર્યું છે..?? તાલીમના મોડ્યુલ મુજબ જ શિક્ષણ કાર્ય કર્યુ છે..??
   હવે...તમે જ કહો...ગુણવતા માટે જવાબદાર કોણ...??

👇🏿 એક આચાર્યશ્રી તરીકે વિચારજો 👇🏿

➡    જે HTAT  સિવાયના આચાર્યશ્રીઓ છે તેનો વર્ગ કોણ સંભાળે છે..??
➡  શું HTAT આચાર્યશ્રી રોજ બે વર્ગખંડનું મુલ્યાંકન કરે છે ખરા..?
➡ આચાર્યશ્રી તરીકે આપ... પગાર કેન્દ્ર શાળા કે તાલુકામાં માહિતી આપવા જવાનું કહી ખોટી રીતે કેટલી વખત શાળામાંથી છટકી ગયા છો..?
➡ ગુણવતા સુધારણા માટે આચાર્યશ્રી તરીકે આપના કોઇ અંગત પ્રયત્નો ખરા..?
➡ ગુણોત્સવ દરમિયાન આચાર્યશ્રી તરીકે આપ સાચું જ મુલ્યાંકન થાય તેવો જ આગ્રહ રાખો છો ખરા...??
➡ SMC ના સભ્યોને કયારેય શાળાની સાચી માહીતી આપી છે ખરી..?
➡ સતત ગેરહાજર હોય  અથવા બીજી શાળામાં ભણતા હોય તેવા કેટલા ખોટા નામ શાળામાં ચલાવી રહ્યા છો..? શા માટે..?

હવે...તમે જ કહો...ગુણવતા માટે જવાબદાર કોણ...??

👇🏿 સંગઠનના હોદેદાર તરીકે વિચારજો 👇🏿

➡ કેટલા વર્ષથી આપે શિક્ષણ કાર્ય કર્યુ જ નથી..!! (લાગુ પડે એ જ લેજો )
➡ ગુણવતા સુધારણા માટે સંગઠને શું કર્યુ..?
➡ આજ દિન સુધીમાં કેટલા ખોટા શિક્ષકોને બચાવ્યા છે..? કેટલા  માટે ખોટી ભલામણ કરી છે..? કામ નથી કરતા તેની કોઇ ફરીયાદ કરી છે..??
➡ તાલીમમાં કયારેય બેઠા છો ખરા ??
➡ સંગઠનના નામે શાળામાંથી કેટલી વખત ગુલ્લી મારી છે..?
➡   અંગત લાભ માટે રાજકારણમાં જોડાઇ આ સંગઠનનો કેવો ફાયદો ઉઠાવો છો..?
➡ સંગઠનમાં જોડાયા પહેલા તમને કોણ ઓળખતું હતું..? શું પહેલા તમારું આટલું જ વજન પડતું હતું..?
➡ સંગઠનમાં જોડાઇને તમે કેટલા અંગત લાભ ઉઠાવ્યા છે..?
➡ કયા ધોરણમાં કેટલા પુસ્તકો અને સ્વ અધ્યયન  પોથી આવે તેની ખબર છે ખરી..?

હવે...સંગઠનના હોદેદાર તરીકે તમારે તો કહેવું જ પડશે કે ગુણવતા માટે જવાબદાર કોણ...??

શિક્ષક તરીકે....આચાર્યશ્રી તરીકે અને સંગઠનના હોદેદાર તરીકે વિચારવા માટે આ મુદાઓનું લીસ્ટ હજુ પણ વધી શકે જો આપણે સ્વીકારી શકીએ તો...!!

મિત્રો....સીઆરસી/બીઆરસી જ નહીં પણ... ગુણવતા માટે આપણો શિક્ષક સમાજ જ જવાબદાર છે...!! સાચા હોય તેને સહકાર આપો...અને ખોટાને બહાર કાઢી જવાબદારી નું ભાન કરાવો..!!
બાકી હવે...શિક્ષક સમાજની બદનામીના દિવસો દુર નથી..!!

લિ. સન્માનિત રીતે સ્વમાનથી નિવૃત થયા પછી પણ દુઃખી થતો શિક્ષક....😞