5 November 2017

"ફેસવોશથી મોઢા ચમકે છે દિલ નહી"


તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે.

દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે,
બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે....
   
લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે.
પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે...

વ્યર્થ બોલવા કરતા
મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે...

હસતો ચેહરો અને રોતી આંખો જીવનની વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે
         
ગમો અણગમો એ તો આપણા મનનો છે.
બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.

જયારે લખાણ ના 'વખાણ' થાય... ત્યારે,સમજવું કે-
શબ્દો 'આંખ' થકી...
'દીલ' સુધી પહોંચ્યા છે

માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ... ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ.

જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.

મતલબ બહુ વજનદાર છે વ્હાલાં નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,..
કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે

જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે
જેના માટે લોકો કહેતા હતા "આ કામ તું નહિ કરી શકે "

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!

તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!

કામ કરવાવાળાની કદર કરો,
કાન ભરવાવાળાની નહીં.

દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,  ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!

માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??
પણ, ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં !??

પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય,
એ જ જગતનો સૌથી સુખી માણસ છે...

""સુંદરતા મનની રાખજો સાહેબ""

"ફેસવોશથી મોઢા ચમકે  છે દિલ નહી"