22 August 2018

ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!

એક માણસે દુકાનદારને પૂછ્યું : "કેળાં અને સફરજનો શું ભાવ છે ?"
"કેળાં ૨૦ રૂપિયે કિલો અને સફરજન ૧૦૦ રૂપિયે કિલો"
બરાબર એજ સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી
"મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં આપી દો" શું ભાવ છે ભાઈ ? "
દુકાનદાર : "કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો"
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી "તો તો જલ્દીથી મને આપી દો ને !"
દુકાનમાં પહેલેથીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું
એ કંઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડો ઈન્તેજાર કરવાં કહ્યું !
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી બહાર નીકળી
"હે ભગવાન !! તારો લાખ લાખ આભાર.... મારાં છોકરાઓ ફળો ખાઈને આજે બહુ જ ખુશ થશે !!"
જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું : "ઈશ્વર સાક્ષી છે ભાઈ સાહેબ"
"મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠુ બોલ્યો તમારી આગળ"
"આ એક વિધવા સ્ત્રી છે અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તૈયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી."
"મેં એને અનેકોનેકવાર મદદ કરવાની કોશિશ કરી પણ  દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !! "
"ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનો એ અહમ્ જળવાઈ રહે કે એ કોઇની પણ  મોહતાજ નથી !!" "હું આ રીતે ખુદાના બંદાઓની પૂજા કરી લઉં છું આ રીતે !!"
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો : "આ સ્ત્રી અઠવાડીયામાં એકવાર જ આવે છે, ભગવાન સાક્ષી છે, એ વાતના કે એ જયારે પણ આવે છે, તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે, અને એ દિવસે જાણે ભગવાન મારાં પર મહેરબાન હોય એવું લાગે છે. સાહેબ !!"

આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને વિના કોઈ શિકાયત કર્યે એણે પોતાનાં ફળો ખરીદી લીધાં અને એ ખુશ થતો થતો દુકાનના પગથિયાં ઉતરી ગયો !!! પણ એ જેવો ઉતર્યો એવો કે પાછો ચડયો
અને પોતાના ઝભ્ભાનાં ખીસ્સામાંથી પાકીટ કાઢીને ૨૦૦૦ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદારના હાથમાં મહાપરાણે પકડાવી દીધી અને કહ્યું : "પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !! અને એ જે પૈસા આપે એ તું રાજી થઈ લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!" આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!"

ક્થા મર્મ : ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!
-અજ્ઞાત