28 August 2016

તરબૂચના બીજના આ ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો..

તરબૂચના બીજના આ ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો..

સામાન્ય રીતે તરબૂચ તો બધા ખાતા જ હોય છે. પરંતુ તેના બીજ આપણે હંમેશા કચરામાં જવા દઇએ છીએ. પરંતુ જો તમે તેના સ્વાસ્થ્યલક્ષી લાભ જાણશો તો તમે ક્યારે પણ આવું નહીં કરો. તરબૂચના બીજને ચાવીને ખાવાથી અથવા તો તેના તેલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. આયરન, પોટેશિયમ અને વિટામિન્સથી ભરપૂર તરબૂતના બીજથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળલક્ષી તમામ સમસ્યામાં ફાયદો થાય છે.

તેમાં હાજર મેગ્નેશિયમ હૃદયની કાર્યપ્રણાલીને નોર્મલ કરે છે. જ્યારે મેટાબોલિઝ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવસ્કુલર રોગો અને હાઇપરટેશનમાં પણ ફાયદાકારક છે. તરબૂચના બીજ પાચનપ્રક્રિયા માટે પણ લાભદાયી છે. જ્યારે આપણે બાફેલા કે રાંધેલા બીજનુ સેવન કરીએ છીએ. તે આપણા પાચનતંત્રમાંથી પસાર થયા છે. તે તરત જ પાચનતંત્રની ક્રિયામાં સુધારો લાવે છે.

તરબૂચના બીજને પાણીમાં ઉકાળી અને તેની રોજ ચા પીવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. પ્રોટીન અને જરૂરી માત્રામાં એમોનિયા હોવાથી તેના બીજ વાળ માટે પણ રામબાળ ઇલાજ છે. તેના બીજનું સેવન કરવાથી વાળ મૂળથી મજબુત થાય છે.