21 September 2016

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ચેપ લાગ્યાનાં ચાર-પાંચ દિવસ પછી ડેન્ગ્યૂની અસર દેખાય છે. તાવ, માથાનો દુઃખાવો, ઊલટી, સ્નાયુઓ અને સાંધાનો દુઃખાવો અને ચામડીની લાલાશ એ ડેન્ગ્યૂનાં લક્ષણો છે. આપણે ઈલાજ જોઈએઃ

બે વખત પપૈયાંનાં પાનનો રસ પત્થર વડે, પાણી ઉમેર્યા વિના કાઢીને લેવાનો. ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સનાં કણો ઘટી જાય છે જેને ફરીથી વધારવાનું કામ પપૈયાનાં પાન કરે છે,
દરરોજ શરીરમાં ત્રણથી ચાર લિટર જેટલું પ્રવાહી જવું જરૂરી છે. જ્યૂસ અને પાણી સતત લેવાનાં ચાલુ જ રાખવાનાં છે,
તાવ માટે પોતાની મેળે કોઈપણ એલોપથીની ગોળી ન લેશો. કારણકે સામાન્ય લાગતી બ્રુફેન કે ડિસ્પીરીન જેવી દવાઓથી પણ લોહી પાતળું થઈ જવાથી મગજમાં હેમરેજ થઈ શકે છે જેનાથી દર્દીનું મૃત્યું થાય છે. આવી દવા માટે એલાેપથીનાં ડાેક્ટરની પાસે જ જવું જરૂરી છે,
જો દર્દી જરૂરી પ્રમાણમાં પ્રવાહી ન લઈ શકે તો એને તાત્કાલિક હાેસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે. ત્યાં એને બાેટલ મારફતે પ્રવાહી અને ગ્લુકોઝ ચડાવવાની જ વધુમાં વધુ જરૂર હોય છે. ગયાં વર્ષે જ મારે મારી દીકરીને બે દિવસ માટે હાેસ્પિટલમાં રાખવી પડી કેમ કે એ જરૂરી માત્રામાં પાણી કે જ્યૂસ નહોતી લઈ શક્તી અને સૂઈ જતી હતી.
એક ચમચી ગળો અને અડધી ચમચી દાડમની છાલનો પાવડર અડધો ગ્લાસ પાણીમાં જરાક વાર ઊકાળી, થોડું પાણી બચે એટલે ઠંડો કરી, ગાળીને દિવસમાં એક વખત આપી શકાય છે. ગળોથી દરેક પ્રકારની રાેગપ્રતિકાર શક્તિ(immunity) વધે છે. ડેન્ગ્યૂમાં રોગપ્રતિકાર શક્તિ ઘટે છે.
ત્રણ ખજૂર અને નવ દાણાં સૂકી કાળી દ્રાક્ષને અડધાંથી એક ગ્લાસ પાણીમાં બે-ચાર કલાક પલાળી રાખ્યાં બાદ આ પાણી પી જવાનું અને ખજૂરને ચાવી જવાની. દરરોજ બે વખત આ પ્રયોગ કરવાથી બ્લડપ્રેશર ઘટતું અટકે છે. ડેન્ગ્યૂમાં બ્લડપ્રેશર ખૂબ ઘટી જાય છે જેનાંથી માેટું જોખમ પેદા થાય છે.
સૂતાં સૂતાં જ દર્દીએ ઊંડા શ્વાસ લેતાં રહેવાનું છે. સવાર-બપોર-સાંજ-રાત્રિ એમ ગમે ત્યારે કેવળ બે જ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાથી ધબકારા કાબૂમાં રહે છે. આ બીમારીમાં ધબકારા ઘટી જાય છે.
ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે, લિવર મોટું પણ થઈ શકે છે. આવા સંજોગોમાં આહારમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે ઔષધ અને આહારનાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએઃ

5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે),
6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત
7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી,
8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ
10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),
10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,
11.00 વાગે ઃ ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,
11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,
12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,
1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,
2.30 વાગે ઃ ગોળવાળો લીંબુ શરબત,
4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,
5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,
6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,
6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,
7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ(સારેવડા) આપવો, દર્દીને સાજો કરવાનો છે એટલે એની દયા ન ખાવી,
8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,
9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,
10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.
રીપાેર્ટ નોર્મલ આવે એટલે ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.
ફરીથી યાદ કરાવું કે કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો, આમાં પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે. પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે.

શરૂઆતમાં બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે જેનાંથી આપણને ખબર પડે કે પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે. શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે. મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.

ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે. શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે. લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે..! પરંતુ ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.

મિત્રો, થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે. આપનાં બાળકનું જીવન અગત્યનું છે એટલે લાગણીમાં તણાઈને એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં. હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી, સંશોધન ચાલું છે..! ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.